________________
(૨૮૨)
स्वप्नदेहो यथाध्यस्तस्तथैवायं हि देहकः ।
अध्यस्तस्य कुतो जन्म जन्माभावे हि तत्कुतः ।।९३ ॥ સ્વપન: યથા મધ્યત:સ્વપ્નદેહ જેમ સ્વપ્નમાં કલ્પાયો. તથા વ =
તે જ પ્રમાણે મય હજી: દિ આ જાગ્રત અવસ્થાનો દેહ પણ સમજવો, મળતી (દશ) સન્મ કુંત:કલ્પાયેલા અધ્યસ્ત દેહનો જન્મ કેવો? જન્મામાવે દિ તત સ્ત: =જે (શરીરને) જન્મ જ નથી, તો ત્યાં પ્રારબ્ધ
શકા: હવે એવી શંકા જાગે છે કે જે ભોગવ્યા વિના પ્રારબ્ધ કર્મ નષ્ટ ન થાય અને પ્રારબ્ધની સમાપ્તિ વિના શરીરનું પતન ન થાય... તો પછી શરીરના પતન પછી જ મુક્તિ મળે? જીવતાં જો કોઈને મોક્ષ જ ન મળે તો જીવનમુક્તિની વાત કેવી?
બીજી શંકા છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રારબ્ધનો નાશ થાય કે ચાલુ રહે? જ્ઞાન થતાંની સાથે જો પ્રારબ્ધ નષ્ટ થાય તો તો શરીર પણ નષ્ટ થઈ જાય. તો પછી કોઈ પણ વ્યક્તિ જ્ઞાનપ્રાપ્તિમાં ઉતાવળ શા માટે કરે ?
સમાધાન: આવી શંકાના સમાધાનાર્થે વિચારીએ. પ્રશ્ન– પ્રારબ્ધને જ્ઞાની-અજ્ઞાની સમાન રીતે ભોગવે છે? ઉત્તર– ના, તેવું નથી. તેમની ભોગવવાની રીતમાં ભેદ છે. પ્રશ્ન- ભેદ કઈ રીતે? પ્રારબ્ધભોગથી તો કોઈ બચે નહીં?
જેમ શ્લોકમાં કહ્યું છે કે “આત્મવિજ્ઞાને જ બન્યું ? एव मुञ्चति” ઉત્તર- હા, એ વાત સાચી છે. પ્રારબ્ધ કોઈને છોડતું નથી. પછી જ્ઞાની હોય કે અજ્ઞાની. પણ અજ્ઞાની માને છે કે હું દુ:ખ ભોગવી રહ્યો છું, પ્રારબ્ધ મારે છે. અને તે ભોગવે જ છૂટકો. તે પોતે દુઃખી, દદ છે તેમ માનીને ભોગવવામાં વધુ દુ:ખ, તક્લીફ, કષ્ટ અનુભવે છે. જ્યારે જ્ઞાની માને છે કે દુઃખ, દર્દ કે સુખ-વૈભવ જે કંઈ ભોગવાય છે તે બધું શરીર દ્વારા ભોગવાય છે. અને શરીરનું પ્રારબ્ધ ભલે શરીર ભોગવે, મારે તેમાં લેવા-દેવા નથી. નથી હું સુખી શરીરના પ્રારબ્ધથી, નથી દુ:ખી શરીરના દર્દથી. આમ બન્ને પ્રારબ્ધ ભોગવે છે. પણ ભોગવવા ભોગવવામાં