________________
(૨૭૭) જેમાં મુખ્ય ત્રણ છે૧. સંચિત કર્મ ૨. આગામી કર્મ ૩. પ્રારબ્ધ કર્મ.
કર્મ: કોઈ પણ કર્મ વહેલું કે મોટું ફળ જરૂર આપે છે. કર્મ અને ફળ સાથે જ જોડાયેલ છે. જ્યાં કર્મ છે ત્યાં કર્યા છે અને કર્તા હોય ત્યાં ભોક્તા જરૂર હોય છે. કર્મ વર્તમાનમાં થાય જ્યારે ફળ ભવિષ્યમાં મળે છે. કર્મ અને ફળનો ઈશ્વરરચિત કાયદો એવો છે કે તેમાં અપવાદ નથી.
સંચિત કર્મ: અનેક કર્મો એવાં છે કે જેનાં ફળ હજુ મળ્યાં નથી પણ મળશે તો ખરાં જ. આવાં કર્મ કર્તાના નામે જમા થાય છે. દા.ત. રોજ રમણલાલ ૫૦ કર્મ કરે છે અને તેમાંથી તેમને ૩૦ કર્મનું ફળ મળે છે અને ૨૦ કર્મનું ફળ બાકી રહે છે. આમ એક અઠવાડિયામાં ૧૪૦ કર્મો રમણલાલના નામે જમા થાય છે. અને એક મહિનામાં ૬ કર્મો ભેગાં થાય. આમ, એક વર્ષ અને આખા જીવનમાં કેટલાંય કર્મો જમા થાય. અને અનેક વીતેલા જન્મોનાં પણ જમા હોય છે. આમ, અનેક જન્મોનાં જે સંચય થયેલાં કર્યો છે તેને સંચિત કર્મ કહે છે. સંચિત કર્મ અર્થાતુ જે કર્મોનું ફળ ભોગવવાનું બાકી છે. ફળ ભોગવવા માટે યોની કે શરીરની જરૂર પડે છે. તેથી જીવાત્મા દર જન્મે નવું નવું શરીર કે યોની ધારણ કરે છે. કારણ કે ફળ ભોગવ્યા વિનાનાં સંચિત કમોમાંથી જેટલાં પરિપકવ થાય છે, તે સૌ ભેગાં થઈ, ફળ ભોગવવા, નવું શરીર વાસના મુજબ ધારણ કરે છે. આમ, વ્યક્તિ કે જીવાત્માનાં નહીં ભોગવાયેલાં કમનું બેંક બેલેન્સ તે જ સંચિત કર્મ કહેવાય છે.
આગામી કર્મ: વર્તમાનમાં જે કર્મ થાય અને ભવિષ્યમાં જેનાં ફળ આવવાના છે તે આગામી કર્મ કહેવાય છે. જે કર્મનું ફળ મળી ગયું અને ભોગવાઈ ગયું છે તે કર્મ તો ળ આપીને શાંત થયું હેવાય. પણ જેનું ફળ નથી મળ્યું. તે કર્મ શાંત થતું નથી પણ ફળ આપવા પ્રેરિત થાય છે તે આગામી કર્મ કહેવાય છે.
પ્રારબ્ધ કર્મ: સંચિત કર્મરૂપી બેંક બેલેન્સમાંથી જેટલાં કમ ફળ આપવા પરિપકવ થાય તેટલા કર્મ સમૂહને લઈને જીવાત્મા નવી યોની કે શરીરને ધારણ કરે છે. અને જન્મ પછી શરીર જે ફળ ભોગવે છે; સુખ-દુ:ખનો અનુભવ કરે છે.. તેને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. સંચિત કર્મ એ ધનુષ્ય છે અને પ્રારબ્ધ કર્મ એ બાણ છે. સંચિત કર્મરૂપી ધનુષ્યમાંથી છૂટેલું