________________
મેં માંગેલું છે. મને મળેલું ઘર મેં જ રચેલું છે. આવી પડેલી વિપત્તિ, આપત્તિ અને સંપત્તિ મારાં જ કર્મની ફળશ્રુતિ છે. આમ જે સમજાય તો હું જ છું રચયિતા મારા વર્તમાન જીવનનો; ભાવિ સંપદાનો. તો પછી નથી ઈશ્વરનો; નથી નફરત સંજોગની; નથી દોષ અન્યનો મારી ખુશી નાખુશીમાં.
ક્યા સંપદા ક્યા આપદા પ્રારબ્ધવશ સબ આય હૈ | ઈશ્વર ઉન્હેં નહીં ભેજતા; નિજ કર્મવશ આજાય છે . ઐસા જિસે નિશ્ચય હુવા, રહતા સદા નિશ્ચિત છે ! નહીં હર્ષતા, નહીં શોચતા હોતા તુરત હી શાન છે |
જ્યાં સુધી આપણા મનમાં, આપણા સમાજમાં પ્રારબ્ધ વિશેની ભ્રમણા સમાપ્ત નહીં થાય અને તેની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી પ્રારબ્ધનો સહજ સ્વાભાવિક સ્વીકાર કે ઇન્કાર નહીં થાય. આમ પ્રારબ્ધના સ્વીકાર કે ઇન્કાર માટે પ્રારબ્ધનું જ્ઞાન જરૂરી છે. તેની થોડી સમજ મેળવવા પ્રયત્ન કરીએ.
કર્મને સમજવા તેના ઘણા વિભાગો છે જેમ કે વાણી; મન; ઈન્દ્રિયો; શારીરિક કર્મ અને માનસિક કર્મ જાગ્રત અને અજાગ્રત રીતે થતાં કર્મ. કર્મનાં પ્રચલિત નામોમાં નીચેનાં વારંવાર પ્રયોગમાં આવે છે:
કર્મ
...વિહિત કર્મ
નિષેધ કર્મ ..નિત્ય કર્મ
નૈમિત્તિક કર્મ વિકર્મ
અકર્મ
આગામી કર્મ . સંચિત કર્મ
પ્રારબ્ધ કર્મ નિષ્કામ કર્મ સકામ કર્મ કામ કર્મ -પ્રાયશ્ચિત કર્મ