________________
(૨૭૫)
“સભ્ય જ્ઞાનહુતાશનેન વિલય: પ્રાસંવિતાનામિનામ્ (વિ.ચૂ. ૪૫૪)
આમ એક વસ્તુ નિર્વિવાદ છે કે પ્રારબ્ધકર્મ ભોગવ્યા વિના નાશ થતાં નથી અને ભોગવવાથી જ નષ્ટ થાય છે. જે થવાનું છે તે નથી થવાનું તેવું નથી.... તે તો થઈને જ રહેવાનું. અને જે નથી થવાનું છે તે કદી શકે તેમ નથી. તો પછી શા માટે ઉદ્વેગ! કે શોક! પ્રારબ્ધકર્મ તો હાથમાંથી છૂટેલા બાણ જેવું છે. બાણ છૂટી ગયા પછી જો સમજાય કે જેને લક્ષ્ય કરી બાણ છોડેલું તે તો વાઘ નથી; ગાય છે; તો પણ હવે તે બાણ વચ્ચે રોકાય તેમ નથી. હવે તો તે લક્ષ્યને વીંધે જ છૂટકો. એમ પ્રારબ્ધકર્મનું ફળ પણ મળવાનું શરૂ થાય પછી વચ્ચે અટકે તેવું નથી. જેવી રીતે રેલવેના શન્ટિંગ સમયે એન્જિન ડબ્બાને ધક્કો મારે છે પછી ડબ્બો પાટા પર દોડે છે..;. એન્જિન વિના તે દોડયા કરે છે... કારણ તેને ધકકો વાગી ચૂક્યો છે, એક પ્રકારની ગતિ મળી ચૂકી છે. હવે તે ડબ્બો, જ્યાં સુધી ગતિશક્તિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રોકાશે નહીં; પણ ધીરે ધીરે ગતિ ધીમી થશે એટલે જ ડબ્બો ક્યાંક અટકશે. આ ડબ્બો એ જ શરીર, તેને પ્રારબ્ધર્કમનો ધક્કો વાગી ચૂક્યો છે.. અને તેથી તે શરીરરૂપી ડબ્બો; જ્યાં સુધી પ્રારબ્ધર્કમનું ફળ ભોગવ્યા વિના સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ગતિમાં રહેશે. જીવનના પાટા પર દોડયા જ કરશે. અને જેટલો સમય તે દોડશે તેટલું જ તેનું આયુષ્ય ગણાશે. શરીરરૂપી ડબ્બો અંતે વૃદ્ધાવસ્થામાં ધીમો પડશે... અને પ્રારબ્ધકર્મ ભોગવાઈ જશે.. ત્યારે ત્યાં જ બંધ પડશે. પણ વચ્ચે અટકશે નહીં. તેથી જ સમજાવ્યું છે કે પ્રારબ્ધ ભોગવતા ઉદ્વેગ કે શોક કરવો ઇચ્છનીય નથી. ‘ટ્વેમાં તું ન અસિ જો પ્રારબ્ધને ઈશ્વરનો પ્રસાદ માનો તોપણ શોક કરવો નિરર્થક છે અને જો પોતાનાં જ કર્મોનું ફળ માનો તોપણ ઉદ્દેગ કરવો સાર્થક નથી. જેમ આપણે જ કોઈ વસ્તુ ખરીદીને મંદિરમાં લઈ જઈએ છીએ; અને તે જ વસ્તુ ‘પ્રસાદ’રૂપે પાછી મળે છે. તેમ અહીં પણ પ્રારબ્ધ જો ઈશ્વરનો; કર્મફળદાતાનો; કર્માધ્યક્ષનો પ્રસાદ છે તો પણ તે પ્રસાદ આપણો જ ખરીદેલો છે. અર્થાત્ આપણો જ માગેલો છે. આપણો જ સંગ્રહલો છે; આપણો જ વાવેલો છે. કારણ કે જેવાં કર્મ આપણે કર્યાં છે તેવું જ ફળ આપણને પ્રભુએ આપ્યું છે. જેવાં આપણાં કર્મ તેવાં જ ફ્ળ; જેવી વાસના તેવી યોની; અને જેવી મતિ તેવી ગતિ.. આ તો સર્વ-સ્વીકૃત સિદ્ધાંત છે. માટે મને મળેલું જીવન