________________
(૨૭૩) ખામોશીથી ખુદના ખ્યાલોમાં ખુદને તો જોઈ લે! આવી રીતે ખુદ જ વિચારે કે ખલકના ખેલ જો ખોટા તો ખરી ક્યાં ખુમારી? ધન, માલ; ખજાનાની! તો પછી દ્રષ ખોટો, અને રાગ સાચો; કે ઠંદ્ર માત્ર ખોટાં; એવા સાચા-ખોટાના વિભાગ જ ખોટા છે, અરે! ખિલા પિલા કે દેહ બઢાયા વો ભી અગન જલાના હૈ” માટે જ પ્રિય-અપ્રિય; આપણાંપરાયાં, સુખ-દુ:ખ, જન્મ-મૃત્યુ; સત્કાર-પ્રતિકાર; વિજ્ય-પરાજ્ય; સંયોગ-વિયોગ; મિલન-વિદાય; સર્વ કાંઈ સમયના વહેણમાં વહી જતી સંજોગોની લહેરો છે. અને પ્રારબ્ધવશાત્ જે કોઈ સંજોગની લહેરો જન્મે તેને જન્મવા દેવી; સ્પર્શવા દેવી; વહી જાય તો વહેવા દેવી; તું પ્રારબ્ધગત આવેલ સંગથી ઉગ કે શોક ન કરીશ. અને કદી સંજોગોથી, પરિસ્થિતિથી, પ્રારબ્ધથી વ્યથિત ન થા, પણ આત્મવિચારમાં સમય વિતાવ અને પ્રારબ્ધનો પ્રતિકાર વિના સ્વીકાર કર. કારણ કે પ્રારબ્ધ ભોગવ્યા વિના નષ્ટ થાય તેવું નથી; ઇચ્છાથી છૂટે તેવું નથી તો પછી “છૂટે ના તે નિભાવી લે, પડયું પાનું સુધારી લે”
(ગો.મા. ત્રિપાઠી) પ્રારબ્ધવશાત્ જે કંઈ આવી પડે તેનાથી જલદી છૂટા થવાનો પ્રયત્ન કે તેવા સંજોગથી મુક્ત થવાની ઉતાવળ કરવી; તે તો કર્મફળદાતા ઈશ્વરની રચનાનો ઈન્કાર કરવા જેવું છે. જે પરમાત્માની પૂર્વ નિશ્ચિત યોજનાનો ઈન્કાર કરે છે, તે અજાણે પરમાત્માનો પણ ઈન્કાર કરે છે. જ્યારે જે મનનશીલ છે તે સમજે છે કે ઈશ્વરથી છે ક્યાં ભિન્ન તેની યોજના; અને ઈશ્વરે આપણા માટે જે કંઈ આયોજન કર્યું છે, તે પ્રત્યેક આયોજનમાં; સંજોગમાં, પરિસ્થિતિમાં; ઈશ્વરને જ જોઈને પરમાત્માનો જ વિચાર કરવો; તે ઈશ્વરદર્શનથી જરાય ઉતરતી કક્ષા નથી. કેમ કે ઈશ્વરના વિચારોથી ઈશ્વર ક્યાં દૂર છે! અને તેથી જ આત્મવિચારણાને પંથે નીકળેલો પથિક કદી ઉતાવળ નથી કરતો પ્રારબ્ધથી છૂટવામાં કે નથી તેને ઉતાવળ પ્રભુદર્શનની. તેનો ઢ નિશ્ચય છે કે,
“ઉતાવળ એ જ કારણથી નથી કરતો હું દર્શનની હકીકતથી વધુ સુંદર હકીકતના વિચારો છે.”
'अखिलम् प्रारब्धम् भुजन् उद्वेगं कर्तुं न अर्हसि ગ્રંથનો નિર્દેશ છે કે “તારું પ્રારબ્ધ ભોગવી પૂર્ણ કર; ઉગ કે