________________
(૨૭૨).
-ગની દહીંવાલા અહીં સમય આપણો સાક્ષી બને તે કરતાં આપણે જ સમયના સાક્ષી બનીએ તેવી પદ્ધતિ દર્શાવી છે અને તે પદ્ધતિ એટલે જ આત્મવિચારણાનો અલૌકિક પંથ માટે જ કહ્યું છે કે “ગાત્માનનું સાતમું જ્ઞાનનું #l નય મહા” હે ભાગ્યવાન! આત્મચિંતન દ્વારા જ; ભાગ્યવશાત્ જે માનવદેહ અને થોડું આયુષ્ય ઉપલબ્ધ છે; તેનો સદુપયોગ કરી લે તારા મનને નિરંતર વેદાનાનાં વાક્યોમાં પરોવી રાખ તારી બુદ્ધિ અને ઈન્દ્રિયો દ્વારા સતત બ્રહ્મામાં જ રમણ કર અને સાચા અર્થમાં બ્રાહ્મણ કે બ્રહ્મચારી થા. જે આત્મચિંતનમાં સમય વિતાવે છે તેને મિા ભાસતા જગતમાં કંઈ ભેગું કરવા જેવું લાગતું નથી માટે તે કૌપીનધારી રહે છે. પ્રતીતિ રૂપે જણાતા પદાર્થો માટે મોહ નથી અને તેવા અસત પદાર્થોની વિદાયથી શોક નથી માટે તે ગોવન્ત: શWી મુક્ત રહે છે. જીવનયાત્રા માટે જ તેવી વ્યક્તિ પ્રયત્ન કરે છે, બાકી આત્મચિંતનમાં મગ્ન રહે છે. તેથી જ તે ભિક્ષામાત્રના અન્નથી સંતુષ્ટ છે. જ્ઞાતિના મિથ્યાત્વને ન જાણતાં સર્વને માટે તેના હૃદયમાં કરુણા છે માટે વિન્તઃ છે. તેમ જ પરમ ભાગ્યશાળી છે એવું શંકરાચાર્ય ભગવાને “કોપીન પંજ' માં કહ્યું છે.
"वेदान्त वाक्येषु सदा रमन्तो भिक्षानमात्रेण च तुष्टिमन्तः। अशोकवन्तः
करुणैकवन्त: જોપીનેવા: ઉ માવો.” ઈશ્વરની શોધમાં આપણે ભટક્યા કરીએ છીએ, પણ જગત શું છે તે અપાણે વિચાર્યું નથી. બાકી વિશ્વરચનાથી રચયિતા ક્યાં છે ભિન્ન? સર્જનથી સર્જનહાર ક્યાં છે દૂર? એવો જે વિચાર કરે તેની ઈશ્વરોધ
જ્યાં છે ત્યાં જ થંભી જાય. કારણ કે વૃક્ષમાં બીજની જેમ ક્રિએશન” અને “કિચરમાં જ ‘ક્રિએટર” મોજૂદ છે, હાજરાહજૂર છે. પણ વિચાર કરતાં આવડે તો જ; “મનન” સમજાય તો જ; “અહી” અને “અત્યારે ઈશ્વર રજૂ થઈ શકે તેમ છે. માટે જ કહ્યું કે આત્મચિંતનમાં તે ભાગ્યશાળી તે સમય વિતાવ.. માં પણ જે ન સમજાય તો નિરાશ ન થવું પણ ચિંતન ચાલુ રાખી.... આપણી જાતને જ આપણે પ્રશ્ન પૂછવો... અને ઉત્તર પોતાનો પોતાની જાતને જાતે સંભળાવવો...
ખરેખર ખુદા મળતો નથી! તો ખુદને ખોઈ દા.