________________
(૨૭૯). આમ પ્રારબ્ધથી જ જાતિ; યોની, આયુષ્ય, અર્થ અને ભોગ પ્રાપ્ત થાય છે. તેવું સમજી તે બાબતમાં કોઈએ શોક અને ઉગ કરવા જેવું નથી “ તું ન મસિ'
જેને પ્રારબ્ધ કર્મની સાચી સમજ છે તે સદા શાન્ત થાય છે, નિશ્ચિત
થાય છે.
“સુખ દુ:ખ ઔર જીવન મરણ સબ કર્મ કે આધીન હૈ ઐસા જિસે નિશ્ચય હવા; હોતા નહીં ફિર દીન હૈ || જો ભોગ આતે ભોગતા, હોતા ન ભોગાસક્ત હૈ નિર્લેપ રહતા કમસે; હોતા તુરત હી શાન્ત હૈ |
જેઓ પ્રારબ્ધ સમજતા નથી તેઓ પોતાની જાતિથી પીડાય છે. સ્ત્રીઓની કાયમની ફરિયાદ છે કે શા માટે સ્ત્રીનું શરીર મને મળ્યું! નથી અમને સ્વતંત્રતા! નથી અમારી પાસે સત્તા! નથી અભય! અમારે તો સદાય સમાજનું નિયંત્રણ! કુટુંબની જવાબદારી! અબળાની ઉપાધિ! રક્ષણની વ્યાધિ! આવા બળાપો કાઢતી સ્ત્રીઓ અને યુવતીઓથી સમાજ ભરાયેલો છે. તેમના ઉદ્ગારોમાં પુરુષોના વર્ચસ્વનો ચિત્કાર છે. પુરુષોની કઠોરતાનું દર્દ છે, પુરુષોની ભ્રમરવૃત્તિ માટે નફરત છે અને તેમની નિષ્ફરતા માટે ઘણા છે, આંતરિક અજંપો છે કે આના કરતાં પુરુષ હોત તો સારું. પણ પ્રારબ્ધ બદલાય તેમ નથી. માટે સ્ત્રીઓએ પોતાનાં વસ્ત્રો બદલ્યાં પુરુષનાં કપડાં પહેર્યાં; નોકરી લીધી; સત્તાનાં સૂત્રો પકડવા સ્પર્ધા શરૂ કરી. જાતિની સમાનતા આણવા સ્ત્રીએ શું નથી કર્યું? મોટર, પ્લેન ચલાવતાં શીખી, પૅરેશુટથી પડવાનું શીખી; પર્વતોનાં શિખરો સર કર્યા....બસ કેમ કરીને પુરુષ થવાય છે ખરું! સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ધૂનમાં જવાબદારીમાંથી મુકિત માટે વિદેશોમાં તો લગ્ન જોઈએ પણ બાળક જોઈએ નહીં, એવી પ્રથા અને ઝુંબેશ શરુ થઈ. આમ જાતિના અસ્વીકારમાં સ્ત્રીએ માતૃત્વ પણ ખોયું.... પણ તેથી આંતરિક શાંતિ તો ન જ મળી પણ અંજપો વધ્યો. જાતિ પ્રારબ્ધગત છે. છતાં સ્ત્રીએ પુરુષ થવા, પુરુષ સ્ત્રી થવા પ્રયત્નો આદર્યા. અને પૈસાદારે આયુષ્ય વધારવા પ્રયત્નો આદર્યા અને ગરીબે અથર્થિ પ્રયત્નો આદર્યા. પણ સૌના પ્રયત્નો અધૂરા જ રહ્યા છે, અને રહેશે. માટે જ આયુષ્ય, જાતિ, ધન અને ભોગ માટે તટસ્થભાવ રાખવો જરૂરી છે. શોક કરવો ઇચ્છનીય નથી. “ તું ન મસિ” જેને પોતાના પ્રારબ્ધ પર અચળ શ્રદ્ધા છે તેને કદી ધન કે વૈભવ, અર્થ કે ભોગ માટે અજંપો