________________
(૨૬૯) જ નહીં ત્યાં પદાર્થોનો અભાવ કેવો? પણ જેમ જણાવ્યું કે “સર્વમાવનાનું અમાવાનું તો સમજવું કે સ્વરૂપના સાચા જ્ઞાનમાં બ્રહ્મથી ભિન્ન કે આત્માથી જુદું કંઈ જ નથી તો શરીર કેવું? જે શરીર નથી તો તેનું નામ અને આકાર કેવાં? શરીરની જ હયાતી નથી અને અભાવ છે તો તેની ત્રણ અવસ્થા કેવી? જે તેની સ્વપ્ન જાગ્રત અને સુમિ જેવી અવસ્થા નથી તો તેનો સાક્ષી ક્વો? સાલ્ય હોય તો જ કોઈ સાક્ષી હોય. આમ અવસ્થાત્રયસાક્ષી એવું જે આત્મા માટે કહ્યું તે ખોટું નથી. પણ સમજવાનું કે સાક્ષી સાપેક્ષ છે. સાક્ય ન હોય તો તેની હયાતી નથી. જે સ્વપ્ન વગેરે જ પ્રાતિભાસિક હોય તો તેનો સાક્ષી કેવો હોય! અને વળી ત્રણ અવસ્થાનો સાક્ષી નથી; તેનો સાક્ષી કોણ? અર્થાત્ કોઈક જરૂર છે. અને તે અધિષ્ઠાન છે અને તેના જ્ઞાનમાં જ ત્રણ અવસ્થા; પંચમહાભૂત, અહંતત્ત્વ; મહત્તત્ત્વ પ્રકૃતિ; માયા; સર્વનો અભાવ સર્જાય છે; જણાય છે. આમ જ ભાવનો અભાવ સમજી શકાય.
ટૂંકમાં, પોતામાં જ સંસારનો લય કરવો હોય કે “સ્વ” સ્વરૂપમાં જ પદાર્થોનો અભાવ સમજવો હોય તો “આત્મવિજ્ઞાન આત્માનું વિશેષ જ્ઞાન જરૂરી છે. અગર સર્વમાં આત્મદષ્ટિ અનિવાર્ય છે. “સર્વ આત્મતિયા જ્ઞાતિ આ જ વાત અનેક સ્થળે સ્મૃતિમાં કહી છે જ્યાં જાણવું જ્ઞાન મુખ્ય છે તે દર્શાવ્યું છે.
ય યત્ તત્ પ્રવામિ યજ્ઞાત્વિા અમૃતમ્ અર7” [જે જાણવા જેવું છે અને જેથી અમરતા મળે તે કહું છું (ગી.એ. ૧૩/૧૨)
જ્ઞાનં ય જ્ઞાન ગમ હરિ સર્વસ્ય શિકિતમ્ II ગી.અ. ૧૩/૧૭ | (આત્મા) (જ્ઞાનરૂપ; શેયરૂપ અને જ્ઞાનથી જ જાણી શકાય તેવો સર્વના
હૃદયમાં છે). માત્મજ્ઞાનાતું... આત્માનું વિશેષ જ્ઞાન એટલે શું? તે સ્વાભાવિક પ્રશ્ન
છે.
વિશેષ જ્ઞાન અર્થાત્ આત્માને વિષય તરીકે ન જાણવો; દશ્ય કે શેય તરીકે ન જાણવો; પણ પોતાથી ભિન્ન નથી અને ઇન્દ્રિયોનો; મનનો; બુદ્ધિનો અવિષય છે તેમ જાણવો. શ્રુતિની ભાષામાં શ્રીકરણ પરમાત્માએ કહ્યું છે કે કઈ રીતે જાણવો:
“અનામિતું રહ્યું ન હતું જ મહત્વ ?”ગી.અ. ૧૩/૧૨ II
બ્રહ્મ અનાદિમત, દેશકાળવસ્તુથી પર છે. પણ તે નથી સત કે નથી અસત્ કહેવાતો. નથી વ્યક્ત કે અવ્યક્ત કહેવાતો; નથી કારણ કે