________________
(૨૬૭)
છે. અને તેથી જે આપણે માનીએ કે હું કર્તા છું; આવવા-જવાવાળો છું; ચંચળ છું; રાગદ્વેષાદિથી પૂર્ણ છું - અને તેથી જ મલિન છું, તો આપણે ધમ= અંત:કરણ સહિત અંત:કરણના ધર્મોનું આત્મા પર આરોપણ
કહેવાય. અને આ આરોપથી જ ભ્રાંતિ કે અધ્યાસ ઉત્પન્ન થયો; જેને ધર્મસહિત ધમનો અધ્યાસ કહેવાય છે.
આમ શ્લોક ૩૫ થી ૮૬ સુધીની જે વિચારણા આપણે કરી તેના નિષ્કર્ષમાં, નિચોડમાં કે તારણમાં સ્પષ્ટ થતી હકીકત નીચે મુજબ છે:
(૧) આત્મા અને દેહ પરસ્પર ભિન્ન છે. એક દ્રશ્ય છે, બીજો દ્રષ્ટા છે. એકને ક્ષેત્ર=શરીર કહેવાય છે, બીજાને ક્ષેત્રનો જ્ઞાતા=ક્ષેત્રજ્ઞ કહેવાય
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। પતો રેત્તિ તં પ્રદુ: ક્ષેત્ર તિ તદિવ: ભ.ગી.
૧૩/૧ / (૨) આત્મા અને શરીર પરસ્પર પૂર્ણ વિરોધી ધર્મવાળાં છે. શરીર અંતવાન છે: “મંતવંત મે ઢા: નિત્યચોવત્તા નિ:” . ભ.ગી. ૨/૧૮
જ્યારે આત્મા નિત્ય છે. શરીર જન્મે છે, જ્યારે આત્મા અજન્મા છે “મનો નિત્ય: શારવતોડ્ય પુરા' | ભ.ગી. ૨/૨૦ આમ પૂર્ણવિરોધી હોવાથી પ્રકાશ અને અંધકારની જેમ બન્ને એક જ સ્થળે, એક જ સમયે અસ્તિત્વમાં ન હોઈ શકે. (૩) આત્મા દેહથી મુક્ત છે.
કારણ કે દેહ એ તો પ્રતીતિમાત્ર છે. ભાસે છે, તેની સાથે આત્મા જન્મ મૃત્યુવાળો ભાસે છે. છતાં દેશકાળથી મુક્ત છે.
જ્ઞાનીને દેહ અદશ્ય નથી; દેખાય તો છે પણ પ્રતીતિ કે ભાસરૂપે.. તેથી તેની સમજમાં અધ્યસ્ત કે આરોપ પણ અધિષ્ઠાન આત્મા જ છે. બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. સર્વ કાંઈ આત્મા છે. અને આ જે કંઈ છે તે પણ આત્મા જ છે.