SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૭) છે. અને તેથી જે આપણે માનીએ કે હું કર્તા છું; આવવા-જવાવાળો છું; ચંચળ છું; રાગદ્વેષાદિથી પૂર્ણ છું - અને તેથી જ મલિન છું, તો આપણે ધમ= અંત:કરણ સહિત અંત:કરણના ધર્મોનું આત્મા પર આરોપણ કહેવાય. અને આ આરોપથી જ ભ્રાંતિ કે અધ્યાસ ઉત્પન્ન થયો; જેને ધર્મસહિત ધમનો અધ્યાસ કહેવાય છે. આમ શ્લોક ૩૫ થી ૮૬ સુધીની જે વિચારણા આપણે કરી તેના નિષ્કર્ષમાં, નિચોડમાં કે તારણમાં સ્પષ્ટ થતી હકીકત નીચે મુજબ છે: (૧) આત્મા અને દેહ પરસ્પર ભિન્ન છે. એક દ્રશ્ય છે, બીજો દ્રષ્ટા છે. એકને ક્ષેત્ર=શરીર કહેવાય છે, બીજાને ક્ષેત્રનો જ્ઞાતા=ક્ષેત્રજ્ઞ કહેવાય इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। પતો રેત્તિ તં પ્રદુ: ક્ષેત્ર તિ તદિવ: ભ.ગી. ૧૩/૧ / (૨) આત્મા અને શરીર પરસ્પર પૂર્ણ વિરોધી ધર્મવાળાં છે. શરીર અંતવાન છે: “મંતવંત મે ઢા: નિત્યચોવત્તા નિ:” . ભ.ગી. ૨/૧૮ જ્યારે આત્મા નિત્ય છે. શરીર જન્મે છે, જ્યારે આત્મા અજન્મા છે “મનો નિત્ય: શારવતોડ્ય પુરા' | ભ.ગી. ૨/૨૦ આમ પૂર્ણવિરોધી હોવાથી પ્રકાશ અને અંધકારની જેમ બન્ને એક જ સ્થળે, એક જ સમયે અસ્તિત્વમાં ન હોઈ શકે. (૩) આત્મા દેહથી મુક્ત છે. કારણ કે દેહ એ તો પ્રતીતિમાત્ર છે. ભાસે છે, તેની સાથે આત્મા જન્મ મૃત્યુવાળો ભાસે છે. છતાં દેશકાળથી મુક્ત છે. જ્ઞાનીને દેહ અદશ્ય નથી; દેખાય તો છે પણ પ્રતીતિ કે ભાસરૂપે.. તેથી તેની સમજમાં અધ્યસ્ત કે આરોપ પણ અધિષ્ઠાન આત્મા જ છે. બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. સર્વ કાંઈ આત્મા છે. અને આ જે કંઈ છે તે પણ આત્મા જ છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy