SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૬) અજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ દેખાય છે. ઉપરના દૃષ્ટાંતમાં સ્પષ્ટ છે ઈન્દ્રિયગમ્ય જ્ઞાન યથાર્થ નથી. કારણ કે ચંદ્ર દોડતો નથી છતાં દેખાય છે. કારણ કે વાદળાંની ગતિનું આરોપણ ચંદ્ર પર થાય છે. તેથી મિથ્યાજ્ઞાન જન્મે છે. તે જ પ્રમાણે શરીરના કાર્યથી અક-અકર્મ આત્મામાં પણ કર્મ અને કર્તા દેખાય છે. આ પણ મિથ્યાજ્ઞાન છે. यथैव दिग्विपर्यासो मोहाद्भवति कस्यचित्। तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८५॥ યથા ઇવ વિવિપત =જેવી રીતે દિશાભ્રમ રિત મોહાતિ મવતિ કોઈ વ્યક્તિને મોહથી થાય છે, તકલાત્મતિ દેહત્વમ્ તેવી જ રીતે આત્મામાં દેહપણાનું જ્ઞાન મશાનયાત: પતિ-અજ્ઞાનથી દેખાય છે. यथा शशी जले भाति चञ्चलत्वेन कस्यचित्। तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥८६॥ ચથી વંત્રત્વેન જળમાં જેવી રીતે ચંચળતાથી તુ કોઈ પુરુષને શશ (વત:) મતિ ચંદ્ર ડોલતો દેખાય છે, તવત્ માત્મનિ રેહત્વ તેમ જ આત્મામાં દેહપણું મજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનને લીધે દેખાય છે. જેવી રીતે પાણીમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ પોતે હાલતું નથી છતાં પાણી હલવાથી, જળમાં તરંગો ઊઠવાથી; પ્રતિબિંબ ચલિત ભાસે છે જે પાણી ડહોળાયેલું હોય તે પ્રતિબિંબ પણ મલિન ભાસે છે અને પાણી સ્વચ્છ અને સ્થિર હોય તો પ્રતિબિંબ પણ સ્પષ્ટ, સ્વચ્છ અને સ્થિર દેખાય છે; તેવી જ રીતે પરબ્રહ્મનું અંત:કરણરૂપી જળમાં પડતું પ્રતિબિંબ પણ અંત:કરણની ચંચળતાને લીધે ચલિત ભાસે છે અને અંત:કરણની રાગદ્વેષાદિ મલિનતાથી મલિન દેખાય છે. આવી આત્માની મલિનતા કે ચંચળતા જે પ્રતીત થાય છે તે તો તેની ઉપાધિની છે છતાં અજ્ઞાનથી આત્માની ભાસે
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy