________________
(૨૪૩) બ્રહ્મામાં કાર્ય-કારણ ભાવ
હવે બે શ્લોક દ્વારા ગ્રંથકાર ફરી બ્રહ્મને કારણ દર્શાવવા નિર્દેશ કરાયેલા વિચારનું પુનરાવર્તન કરે છે. પુનરાવર્તનથી વિચારોમાં સ્પષ્ટતા-દૃઢતા જરૂર આવે. પણ વિચાર સંશયમુક્ત ન બની શકે. શંકાને નિર્મૂળ કરવા, સંશયને સમાપ્ત કરવા, અવિઘા, કામ અને કર્મરૂપી હૃદયગ્રંથિનું છેદન કરવા તો પરબ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જ કામ આવે. અને જ્ઞાન વિના અવિદ્યા કે અજ્ઞાનની નિવૃત્તિ નથી. તે બન્ને પરસ્પર પૂર્ણ વિરોધી છે તેથી જેમ અંધકારમાં પ્રકાશ નથી અને પ્રકાશમાં અંધકાર નથી તેમ જ્ઞાન અને અજ્ઞાન સાથે ટકી શકે નહીં. તેથી જ ઉપનિષદે પણ પરબ્રહ્મના જ્ઞાનમાં જ સંશયની મુક્તિ અને શંકાની નાબૂદી જણાવી છે. માટે જ્ઞાનનું મહત્વ દર્શાવવા જ પુનરાવર્તન છે. ‘બધું બ્રહ્મ છે' તેવી માન્યતા અથવા શાસ્ત્રમાં શ્રદ્ધા, શંકાનું સમાધાન નહીં કરાવી શકે. શ્રદ્ધા જ્ઞાનપ્રાપ્તિના માર્ગે આવતાં વિઘ્નો સહન કરવાની અદ્ભુત તાકાત અને પ્રેરણા પૂરી પાડશે. ગુરુ અને શ્રુતિમાં અખંડ વિશ્વાસ ઊભો કરશે.. પણ જ્ઞાન વિના દેહથી છુટકારો નથી. સંદેહથી મુક્તિ નથી. તેથી જ મુંડકશ્રુતિ કહે છે કે
“भिद्यते हृदयग्रंथि : छिद्यन्ते सर्व संशया : क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् द्रष्टे परावरे
કાર્ય અને કારણરૂપ તે પરાત્પર પરબ્રહ્મને તત્ત્વથી જાણી લીધા પછી આ જીવની અવિદ્યારૂપી ગાંઠ ખૂલી જાય છે. તેના સઘળા સંશયો કપાઇ જાય છે. તેનાં સર્વ કર્મ નષ્ટ થાય છે. અને આવા જ હેતુને સિદ્ધ કરવા અહીં પણ એ વિચારનું વારંવાર...મનન કરવાનું સૂચન છે.
कार्यकारणता नित्यमास्ते घटमृदोर्यथा ।
तथैव श्रुतियुक्तिभ्यां प्रपंचब्रह्मणोरिह || ६६ ||
ઘટમૂવો: સાર્યવાળતા યથા નિત્યમ્ આસ્તે = ઘડા અને માટીનું જેમ
કાર્યકારણપણું નિત્ય છે.
તથા વ= તે જ પ્રમાણે
શ્રુતિયુત્તિભ્યામ્....= શ્રુતિ અને યુક્તિઓથી
૬૪= આ બાબતમાં
પ્રપંચત્રાળો: ાર્યજાળતયા નિત્યમ્ આસ્તે- પ્રપંચ અને બ્રહ્મનું કાર્ય
કારણપણું નિત્ય છે.