________________
(૨૫૭) મજ્ઞાનયોતિઃ પતિ =અજ્ઞાનના લીધે દેખાય છે.
“જીતવં ફિ થી શુ હોવાલુમતિ શક્તિ આંખના દોષથી જેમ ધોળામાં પણ પીળું દેખાય અર્થાત્ દષ્ટિદોષથી જે ઈષ્ટમાં જ અશુદ્ધિ હોય તો તે અશુદ્ધનું જ આરોપણ શુદ્ધ સ્વરૂપ પર પણ થાય અને સ્વરૂપ પણ અશુદ્ધ જ દેખાય. ટૂંકમાં અહીં એવો સંત જણાય છે કે જેવી ઈષ્ટ હોય તેવી જ સુષ્ટિ દેખાય. જેવું પ્રમાણ હોય તેવું જ પ્રમેય જણાય. જેવું સાધન હોય તેવું જ સાધ્ય જણાય. જો દષ્ટિ ભેદવાળી હોય તો mતમાં ભેદ જ દેખાય. ઈષ્ટ તિવાળી હોય તો દ્વતમય અને અનેકતાવાળું જ સર્વ દેખાય. જો સૂક્ષ્મ દષ્ટિ હોય તો જ સૂક્ષ્મ તત્વ જણાય. નામ-આકાર બાદ થઈ જાય અને માત્ર તત્વ દેખાય. જે સ્થૂળ દષ્ટિ હશે તો બધું જ સ્થૂળ શરીર વાળું અને આકારવાળું નામી જ દેખાશે. અને નિરાકાર અનામી આત્મા પણ દેહધારી જ જણાશે. જેવું શ્લોકમાં કહ્યું છે
"तद्वदात्मनि देहत्वं पश्यति अज्ञानयोगत:"॥ આમ જોતાં સ્પષ્ટ થાય છે કે જો આપણે કમળાના રોગથી પીડાતા હોઈશું તો બધું જ પીળું દેખાશે. લીલા ચશ્માથી બધું જ લીલું દેખાશે. અને દેહરૂપી ચશ્માથી બધું જ દેહમય કે સાકાર દેખાશે અને સર્વનું સૂક્ષ્મ, સર્વવ્યાપ્ત કારણ ઈશ્વર પણ સાકાર જ જણાશે. ચર્મચક્ષુથી ઈશ્વર અમૂર્ત, અવ્યક્ત અને અભિન્ન નિમિત્તોપાદાનકારાણ હોવા છતાં સાકાર મૂર્તિઓમાં વ્યક્ત અને મૂર્ત જ દેખાશે. અને અજ્ઞાનરૂપી ચશ્માથી કે દોષદષ્ટિથી તો જે નથી તે પણ દેખાશે. અને બ્રહ્મના બદલે ભ્રમ અને શાન્તિના બદલે ભ્રાંતિ જ દેખાશે. માટે જ ભગવાને ગીતામાં કહ્યું છે કે
વિમૂઢ નાગુપતિ પતિ જ્ઞાનવાદ:” આમ જેમની દષ્ટિ દેશ, કાળ અને વસ્તુમાં કેદ હશે તેમને જે કંઈ દેખાશે તે પરિચ્છિન્ન જ હશે દેશકાળ અને વસ્તુથી. અને ટિમાં મોટામાં મોટો દોષ એટલે જ આત્મામાં. પરિચ્છિન્નતા, અપૂર્ણતા અને મર્યાદિતતાનાં દર્શન કરવા અને આત્માને દેહ સમજી લેવો, અને દેહના ધર્મોનું “સ્વ” સ્વરૂપ પર આરોપણ કરવું છે.
એક વસ્તુ સ્પષ્ટ છે કે જેવી ઈષ્ટ હશે તેવી જ સુષ્ટિ દેખાશે. સુષ્ટિ જેવી છે તેવી દેખાતી નથી. એમ આત્માનું સ્વરૂપ છે તેવું નથી જણાતું