________________
(૨૫૬)
पोतेन गच्छत: पुंस: सर्व भातीव चञ्चलम्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥७६ ॥ તેન તિઃ પુલ: =વહાણમાં જનારા પુરુષને વ યથા. ... =જેવી રીતે સર્વ શ્વતમ્ મતિ =સર્વ કાંઈ ફરતું દેખાય છે, તત્ માત્મતિ દેહત્વ =તે જ પ્રમાણે આત્મામાં દેહપણું માનયોતિ: પતિ =અજ્ઞાનના યોગથી દેખાય છે.
જેવી રીતે વહાણમાં મુસાફરી કરનાર વહાણની ગતિનો આરોપ કિનારે ઊભેલાં સ્થિર વૃક્ષો, મકાનો પર કરે છે, તેથી જ તેને વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે ને વૃક્ષોની અચળતા જણાતી નથી; તેવું જ બીજી વ્યક્તિ કહે છે કે હું વડોદરાથી અમદાવાદ ૧૦ ક્લિોમિટરની ઝડપે આવ્યો. આમ તેણે કારની” “મોટરની ઝડપનો આરોપ પોતા ઉપર કર્યો. ખરેખર તે વ્યક્તિ તો બેસી જ રહેલી અરે ઊંધી પણ ગયેલી! આમ ખોટા આરોપથી ભ્રાંતિ, અધ્યાસ અને મિથા જ્ઞાન ઉદ્ભવે છે. અને જે તેવું જ્ઞાન દઢ થઈ જાય તો તેનો નિકાલ જલદી થતો નથી અને સતત અભ્યાસ, વૈરાગ્ય, સ્વરૂપચિંતન અનિવાર્ય બને છે.
ઉપરના દષ્ટાંતમાં જેમ વૃક્ષની અચળતા-સ્થિરતા પર ગતિનો આરોપ છે, તેવું જ અજ્ઞાનથી જે આત્મા અચળ, અકર્તા, અભોક્તા છે તેના પર શરીરનાં, ઇજ્યિનાં કર્મોનો આરોપ થાય છે. અને તેથી જ વ્યક્તિ આત્માને પણ શરીર જેવો જ કર્તા, ભોક્તા, ચંચળ અને પરિવર્તનશીલ માનવા લાગે છે. આમ સ્વરૂપે આપણે જેવા છીએ તેવા નહીં, પણ તેથી વિપરીત અને વિકૃત ધર્મવાળા જણાઈએ છીએ. આ પણ અધ્યાત છે. પણ અંત:કરણના ધર્મો છે કર્તા અને ભોક્તા અને તેમના ધર્મો આત્મા પર અધ્યસ્ત છે તેથી આ અધ્યાસને અંત:કરણ ઉપહિત ચેતનનો અધ્યાસ કહી શકાય.
पीतत्वं हि यथा शुभ्रे दोषाद्भवति कस्यचित्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः॥७७॥ યથા.=જેવી રીતે વરિત્ =કોઈ પુરુષને તોષાત્ =આંખના દોષથી શુ વીતત્વ મવતિ =ધોળામાં પીળું દેખાય છે, તવ આત્મતિ દેહત્વ =તેમ જ આત્મામાં દેહપણું