________________
(૨૫૪)
આત્મામાં દેહની ભ્રાન્તિ ભ્રાંતિ અથવા અધ્યાસનો ખ્યાલ મેળવતાં આપણે આગળના શ્લોક ૭૦થી ૭૪માં દેહમાં આત્માની ભ્રાંતિ અર્થાત્ જે સનાતન સત્ય છે તેને અધ્યસ્ત રૂપે જોઈ ગયા. ખરેખર અધિષ્ઠાન આત્મા અધ્યસ્ત થઈ શકે નહીં પણ આત્માનો અનાત્મા વિશે જે સંસર્ગ છે તે જ અધ્યારૂ થયો એમ આપણે સમજી ચૂક્યા છીએ. જેવી રીતે જપાકુસુમ અને સ્ફટિક પાસે પાસે હોવાથી, જે સ્ફટિક રંગવિહીન છે તેમાં રાતો રંગ ભાસે છે. અને કેસૂડાનાં ફ્લથી રંગેલા વસ્ત્રમાં રાતો રંગ દેખાય છે. આમ સ્ફટિક અને વસ્ત્ર રંગીન દેખાય છે. તે બન્ને રંગીન ભાસે છે. પણ વાસ્તવમાં સ્ફટિકમાં દેખાતા રાતા રંગનું તાદાત્મ તો પુષ્પ જોડે છે સ્ફટિક જોડે નથી. તેમ જ વસ્ત્રમાં રાતો રંગ જે ભાસી રહ્યો છે, પ્રતીત થાય છે તે રંગનું તાદાત્મ પણ કેસૂડાંનાં ફ્લ સાથે છે. આમ બન્ને દષ્ટાંતમાં રાતા રંગનો સંબંધ=સંસર્ગ ક્લમાં છે. અને છતાં વસ્ત્ર અને સ્ફટિકમાં જે સંસર્ગ કે સંબંધ ભાસે છે તે અનિર્વચનીય તાદાત્મ સંબંધ કે સંસર્ગ છે.
બન્ને દષ્ટાંતોમાં પુષ્પ અને વસ્ત્ર તથા પુષ્પ અને સ્ફટિક ઉભય વ્યાવહારિક છે, પણ તેમના સંબંધનું=સંસર્ગનું જ્ઞાન અનિર્વચનીય ઊપજે છે કે રાતું વસ અને રાતો સ્ફટિક આ અનિર્વચનીય સંબંધ કે સંસર્ગ જ અધ્યસ્ત થાય છે અર્થાત્ આત્મા અનાત્મા ઉપર કે આત્મા શરીર પર અધ્યસ્ત થતો નથી પણ તેનો અનિર્વચનીય સંબંધ જ અધ્યસ્ત થાય છે. આવા અધ્યાસને સંસર્વાધ્યાસ કે સંબંધાધ્યાસ કહેવાય છે.
હવે પછી આચાર્યશ્રી જે દષ્ટાંતો શ્લોક ૭૫થી ૮૬માં આપશે તેમાં આપણે આત્મા પર અનાત્માનો આરોપ કે અનાત્મા કઈ રીતે આત્મા પર અધ્યસ્ત છે તે દBતો દ્વારા જોવાનો પ્રયત્ન કમબદ્ધ કરીશું.
यथा वृक्षविपर्यासो जलाद्भवति कस्यचित्।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥७५॥ યથા =જેમ
તવ તે જ પ્રમાણે વચ્ચરિત્ =કોઈને
માત્મનિ તેહત્વમ્ =આત્મામાં નાના =જળમાં
દેહપણું વૃક્ષવિપર: =વૃક્ષ ઊંધું
અજ્ઞાનયોતિઃ પતિ અજ્ઞાનને લીધે મવતિ =દેખાય છે.
દેખાય છે.