________________
(૨૫૧) સંસર્ગ-દોષથી પણ થાય છે જેને સંસર્વાધ્યાસ કહે છે. અને જયારે અનાત્માનું સ્વરૂપ આત્મા પર અધ્યસ્ત થાય ત્યારે સ્વરૂપાધ્યાસ કહેવાય છે. અથવા પદાર્થનું સ્વરૂપ જયારે અનિર્વચનીય જન્મે ત્યારે સ્વરૂપાધ્યાસ કહેવાય છે.
અહીં તેવા જ અધ્યાસની નાબૂદી માટે ભગવાન શંકરાચાર્યજી શ્લોક ૭૦થી૭૪ સુધી દષ્ટાંત આપે છે.
सर्पत्वेन यथा रज्जू रजतत्वेन शुक्तिका।
विनिर्णीता विमूढेन देहत्वेन तथाऽऽत्मता॥७० ॥ સત્યેન યથા વિમૂઢેન નૂ:= અજ્ઞાનીએ જેમ દોરીને સર્પ માન્યો કિ
| દોરીમાં સર્પપણું જોયું. રાતત્વેન વિત્તા વિનિર્નાતક રૂપાપણાથી છીપ જોઈ (અર્થાત્ છીપને
રૂપું જાણું) તથા વિમૂહેન સેઇન્ટેન માત્મતા વિનિર્ણતા= તેમ જ મૂઢ પુરુષે દેહપણામાં આત્મા જાણ્યો દિહને આત્મા માન્યો
આમ આરોપ, પ્રક્ષેપણ અને કલ્પિતને અધિષ્ઠાનને સમજવું તે ભ્રાંતિ અને અધ્યાત છે. અહીં દેહને આત્મા માનવો અર્થાત્ જે દેહ અધ્યસ્ત છે તેને અધિષ્ઠાન માનવું અને જે આત્મા અધિષ્ઠાન છે તેને અધ્યસ્ત માનવું તે નકકર અજ્ઞાન છે. કારણ આત્મા સત્ય છે. તે અધ્યસ્ત ન થઈ શકે પણ તેનો અનાત્મા વિશે જે સંસર્ગ છે તે અધ્યસ્ત છે. આત્માનો ધર્મ છે આનંદ અને અદ્વૈતપણું. જયારે શરીરનો ઘર્મ છે દુ:ખ અને અનેકતા કે દ્વૈતપણું. અજ્ઞાનથી જ્યારે દુ:ખ અને અનેકતા કે ભિન્નતા આત્મા પર સ્વરૂપથી અધ્યસ્ત થઈ આનંદ અને અદ્વૈતને ઢાંકે છે ત્યારે હું આનંદરૂપ છું કે અદ્વૈતરૂપ છે તેવી પ્રતીતિ થતી નથી. પણ ઊલટું હું દુ:ખી છું; ઈશ્વર કે આત્માથી ભિન્ન શરીર છું તેવી પ્રતીતિ થાય છે, જયારે તેથી વિરુદ્ધ આત્માના સત્ અને ચિત્ ધર્મો શરીરના અસત અને જડ ધર્મો ઉપર સંસર્ગ દ્વારા અધ્યસ્ત થઈ અસત અને જડને ઢાંકી દે છે ત્યારે વ્યક્તિ સમજી શકતી નથી કે શરીર નાશવાન છે, અસત છે, જડ છે, અભાન છે, તેને પોતાની તેવી પ્રતીતિ થતી નથી; પણ અજ્ઞાનથી તે શરીરને જ સત માને છે, શરીરને જ આત્મા માને છે, શરીરને જ ચૈતન્ય-અવિનાશી માને છે. તેથી જ શંકરાચાર્યજીએ કહ્યું છે કે “તથા વિમૂન દેહત્વે માત્મતા વિનિતા” “અજ્ઞાની દેહપણામાં પણ આત્મા માને છે.”
घटत्वेन यथा पृथ्वी पटत्वेनैव तन्तवः।