________________
(૪૯) ભ્રાંતિ સુધારવામાં મદદ કરવા અને ભ્રમણા દૂર કરવા કહે છે કે દેહ કોઈ પૃથક તત્વ નથી કે જે તેના દ્રષ્ટાથી ભિન્ન હોઈ શકે...જેમ કે ‘ધડો” નામ છે અને તેને એક આકાર છે. છતાં તે નામ-આકાર તો માટી પર આરોપિત છે. એટલે ઘડો માટીથી ભિન્ન હોઈ શકે જ નહીં. ઘડો માટીમય છે. તેવી જ રીતે શરીર પણ ચૈતન્યમય છે= ચિન્મય છે. ચૈતન્ય પર દેહનો આકાર અને નામ આરોપિત છે. તેથી દેહ અને તેના કચ્છ ભિન્ન હોઈ શકે જ નહીં. માટે જ દશય અને દ્રષ્ટા, જડ અને ચેતન કે આત્મા અને અનાત્મા એવા વિભાગો હોઈ શકે નહીં. આ ભેદ તો કલ્પેલા છે...સમજાવવા પૂરતા જ છે. વાસ્તવમાં તો બધું જ એક, અભેદ અને પૂર્ણ છે. આમ છતાં પરબાના સ્વરૂપને સમજાવવા માટે સામાન્ય ચૈતન્ય અને વિશેષ ચૈતન્ય એવા ભેદ પણ પાડવામાં આવે છે. આમ અને તો અભેદનો જ નિર્દેશ કરી અભયમાં પ્રવેશ કરાવવો તે જ સંતો-શાસ્ત્રોનો આશય છે. છતાં તેઓ ભેદ દ્વારા અભેદ, વિભાગ કે ખંડ ઊભા કરી અખંડિતતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે; અને તત્ત્વ સમજાઈ ગયા પછી નથી સમજાવવાની પદ્ધતિ, નથી સિદ્ધાંત, નથી શિક્ષક, શિક્ષા કે શિષ્ય.
જો ભેદ-વિભાગનો અભાવ થાય અને ચૈતન્યમાત્ર જ છે તેવું સ્વીકારી શકાય તો આપણે પરિપૂર્ણ છીએ તેવું સ્વીકારી શકાય અને આપણી પૂર્ણતામાં છે જ્યાં દોષ? ક્યાં રહે છે ઘેડ અન્ય ભણી? કેવો રાગ? કોના પ્રતિ? પૂર્ણતામાં પ્રતીક્ષા ક્યાં? અમિનો અણસાર ક્યાં? તૃમિનો આવિષ્કાર ક્યાં? પ્રવૃત્તિની પ્રેરણા ક્યાં? નિવૃત્તિની ઝંખના ક્યાં? આ જ છે ફળ વિનાની ફળશ્રુતિ અભેદ દષ્ટિના વિભાગના મિથ્યાત્વની.
આથી જ જે કોઈ માત્ર શરીરને જ આત્મા માને છે તે જાતે જ આત્માનો અનાદર કરી અપૂર્ણતા અને પરિચ્છિરાતાને આવકારે છે. આ તો ઘડાને જ માટી કહેવા જેવી મૂર્ખતા થઈ. પણ જે કોઈ શરીર પણ આત્મા છે, તેવું સ્વીકારે છે તેના માટે પોતે પૂર્ણ છે...અને જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ પરિપૂર્ણ જ છે. ક્યાંય કોઈ અપૂર્ણ નહોતું, નથી, નહીં હોય. આ છે શાનીની શાનમય દષ્ટિ, જેમાં ભેદ નથી, વિભાગ નથી, જુદાઈ નથી, દેશ અને કાળનું અંતર નથી. તે જ શાન કે ઉપાસનાનો મર્મ છે; ચિંતન-મનનનો નિષ્કર્ષ છે.
“સતતર અંતર નહિ; બાહ્યાંતર બ્રહ્મ; એમ જાણે તે ઉપાસના, એ છે મોટો મર્મ” [પ્રીતમની વાણી] આમ વિચારણાને અંતે નિર્વિવાદપણે સમજાય છે કે જે વસ્તુ જેમાં