________________
(૨૪૭)
કે હું મારી શકું તેમ છું, શરીરના નાશથી વ્યક્તિનો નાશ થઈ શકે તેમ છે. આમ નથી અર્જુન પોતાને ‘નિમિત્ત' સમજી શકતો, નથી આત્માને અવિનાશી સમજી શકતો. જ્યારે ભગવાન કહે છે કે “હે અર્જુન! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય અજન્મા, અવ્યય જાણે છે, તે પુરુષ કેવી રીતે કોને મરાવે છે તથા કોને હણે છે?”
" वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२१॥”
આમ એક જ આત્મા જ્ઞાની અને અજ્ઞાનીને ભિન્ન સ્વરૂપે ભાસે છે. તે જ અહીં શંકરાચાર્યજી સમજાવે છે કે જ્ઞાનીને દોરી ‘દોરી' તરીકે જ જણાય છે, જ્યારે અજ્ઞાનીને તે જ દોરી સર્પરૂપે જણાય છે. આત્મા એક જ છતાં જ્ઞાની તેને અવિનાશી અકર્તા જાણે છે. અને અર્જુન તેને વિનાશી અને કર્તા જાણે છે. માટે જ કહે છે કે હું ગુરુજનોની હત્યા કરવા કરતાં ભીખ માગેલું અન્ન ખાવું વધુ ક્લ્યાણકારી માનીશ. અર્જુનની માન્યતામાં ગુરુજનોની હત્યાથી જે અર્થ અને કામ ઉપલબ્ધ થશે તે લોહીથી ખરડાયેલા હશે અને તે ભોગો પ્રાપ્ત કરવા કરતાં યુદ્ધભૂમિનો, યુદ્ધનો, પાપકર્મનો ત્યાગ જ સર્વોત્તમ છે. માટે જ અર્જુન જીવનસંઘર્ષથી નાસી એપિઝમ છૂટવાનો પ્રયત્ન કરે છે: તેમાં તેની ભાગેડુવૃત્તિ છે, જે તેના પ્રજ્ઞાવાદથી જણાઇ આવે છે.
સ્પષ્ટ
“ગુરૂના ફ્રિ મહાનુમાવાનું શ્રેયો મો મેક્ષ્યમીદ સોવે” ॥ ગી.અ. ૨/૫
-
||
“ન ચ શ્રેયોઽનુપયામિ ત્વા સ્વનનમાવે” ।। ગી.અ. ૧/૩૧ ॥ “સ્વજનને મારીને (હું) ક્લ્યાણ પણ જોતો નથી”
-
ન જાણ્યે વિનય વૃધ્ધ ન ૬ રાખ્યું સુવાનિ ૪' ।।ગી.અ. ૧/૩૨॥ “હે કૃષ્ણ ! હું વિજ્ય, રાજ્ય તથા સુખ ઇચ્છતો નથી.”
અર્જુનના આવા મોહથી ઉપજેલા પ્રજ્ઞાવાદમાં તેનું આત્મ-અજ્ઞાન સ્પષ્ટ છે. આત્માને કર્તા માનવાની ભ્રાંતિથી જ તેણે જાતે જ પોતાની જાતને મૂંઝવી છે. આમ આત્મામાં અશુદ્ધિ જોવી તે જ અકર્તામાં કર્તા, અકર્મમાં કર્મ, અજન્મમાં જન્મ, અવિનાશીમાં વિનાશ જોવા જેવું છે. માટે જ શંકરાચાર્યજીએ કહ્યું.
“અજ્ઞાનિન: સલા ને આત્મા અશુદ્ધ: માતિા” “અજ્ઞાનીને આત્મા સદા અશુદ્ધ દેખાય છે.”