________________
(૨૪૮)
જડ-ચેતનના ભેદ ભ્રાન્તિ છે આત્મા-અનાત્માના વિભાગો અવિવેકી છે. _यथैव मृण्मय: कुम्भस्तदेहोऽपि चिन्मयः।
आत्मानात्मविभागोऽयं मुधैव क्रियतेऽबुधैः ।। ६९॥ ચથી વ =જેવી રીતે
મ: મૃય = ઘડો માટીમય છે, તત્વ૬ માં વિન્મ - તેવી રીતે દેહ પણ ચૈતન્યરૂપ જ છે. મામ્ માત્માનવિમા નુ મુધા ઇવ ચિતે તેથી જડ અને ચેતનના આત્મા અને અનાત્માના વિભાગ જ્ઞાની દ્વારા મિથ્યા મનાય છે.
વેદાન્તની પરંપરાગત શિક્ષણ પદ્ધતિનું અહીં ઉમદા દષ્ટાંત છે. અજ્ઞાન, અધ્યાસ, ખોટું તાદાત્મ અને સ્થૂળ દષ્ટિના કારણે વ્યક્તિમાં શરીરભાવ જાગે છે, જન્મે છે અને તે પોતાને સાકાર, નામી અને શરીરવાળો જન્મેલો માને છે, અને ધીરે ધીરે દેહભાવ દઢ થાય છે અને તેમાં આસક્તિ થાય છે. શરીરના દુખે વ્યકિત દુ:ખી કે સુખી થાય છે. ભ્રાંતિમાંથી વ્યકિતને છોડાવવા વેદાન્ત એક પ્રક્યિા સમજાવી કે જે જે દશ્ય છે, જે જે શેય છે, તે તે દ્રષ્ટા અને જ્ઞાતાથી ભિન્ન છે. આમ ભેદ ઊભો ર્યો જેથી જ્ઞાતા દ્રષ્ટા કે આત્માને શરીરથી ભિન્ન દર્શાવી અને દેહબુદ્ધિથી વ્યક્તિને છુટકારો અપાવી શકાય. આમ જડ-ચેતનનો, દ્રષ્ટા-દશ્યનો, જ્ઞાતા-શેયનો, નામી-અનામીનો, સાકાર-નિરાકારનો, દશ્ય-અદશ્યનો, વ્યક્ત-અવ્યક્તનો, વિનાશી-અવિનાશીનો, અજન્મા-જન્મેલાનો અને આત્મા-અનાત્માનો ભેદ દર્શાવવાનો હેતુ વ્યક્તિમાં વિવેક પ્રગટ કરવાનો છે. જેથી વ્યક્તિ અનાત્મામાં ઊભી થયેલી આસક્તિ, રાગ, મોહ, આકર્ષણનો ત્યાગ કરી આત્મામાં રમણ કરી શકે અને આત્મસ્વરૂપને સ્પષ્ટ સમજી શકે. અને તેથી જ તયુક્ત દષ્ટાંત આપવામાં આવે છે કે
“घटद्रष्टा घटाद्भिन्न: सर्वथा न घटो यथा।
देहद्रष्टा तथा देहो नाहमित्यवधारयेत्॥ જેમ ઘડાને જોનારો ઘડાથી જુદો છે; કોઈ પણ પ્રકારે ઘડારૂપ ન થઈ શકે; તેમ જ દેહનો કટા જે હું આત્મા તે કદાપિ દેહરૂપ નથી એવો નિશ્ચય કરવો.”
હવે જો કોઈ સાધક કે મુમુક્ષુ આવી શિક્ષણ પદ્ધતિ કે વિવેક પ્રગટાવવાની કિયાને સિદ્ધાંત માની બેસે તો તે સમજનારની જ અપરિપકવતા ગણાય. તેથી અહીં ભગવાન શંકરાચાર્યજી કૃપા કરી સાધકની ભૂલ કે મુમુક્ષુની