________________
(૨૪૧)
ઠપકો આપતાં કહ્યું કે કેવો મૂર્ખ છે, ગાયોને ભૂખી રખાતી હશે ? જંગલમાં લઈ જા... નવો શિષ્ય મૂંઝાઇ ગયો... તેણે કહ્યું કે ગાયો તો એવી બાંધેલી છે કે ખસતી જ નથી. ગુરુજી સમજી ગયા અને કહેવા લાગ્યા, “મૂર્ખ, તે તો બંધનમુક્ત છે. મેં ક્યાં બાંધી છે તે તને છોડી આપું?...” ઊભા થઇને તેમણે દરેક ગાયને ગળેથી દોરડું છોડતાં હોય તેવો દેખાવ કર્યો... પછી પીઠ થાબડી એટલે... ગાયો તો ચાલવા માંડી... ખોટું... બંધન... ખોટેખોટું... ખોટી રીતે જ... ખુલી શકે અને ખોટું બંધન દૂર થાય ત્યારે ખોટી જ મુક્તિ પ્રાપ્ત થાય. જેને ભ્રાંતિ છે કે પોતે કર્તા છે, ભોક્તા છે, તેને જ કર્મનું ખોટું ફ્ળ પણ છે. અને તે જ ફળની આસક્તિ -અપેક્ષાથી કર્મળમાં બંધાય છે અને પોતાને બદ્ધ માને છે. જે પોતાને ન તો કર્તા માને, ન કર્મ માને, પણ બ્રહ્મને જ કર્તા, કર્મ, ફળ બધું સમજે તેને બધું જ બ્રહ્મમય જણાય. તો ક્યાં રહ્યું ફળ અને ક્યાં છે બંધન કર્મફળનું?
આમ વિચારતાં સ્પષ્ટ છે કે જે દષ્ટિ બ્રહ્મમયી થઈ જાય તો બંધન અદૃશ્ય થઇ જાય, કારણ કે ઐક્યમાં નથી જ્ગત કે તેનો વ્યવહાર. અને જો છે તો તે બ્રહ્મમય છે. બ્રહ્મના જ્ઞાનમાં તો બ્રહ્મથી ભિન્ન કંઇ જ દેખાતું નથી. શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું કે
ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
બ્રોવ તેન ન્તિવ્યં બ્રહ્મવર્મસમાધિના | (ભ.ગી. ૪-૨૪)
“અર્પણ કરવાનાં સાધન બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મરૂપ છે, હોતા બ્રહ્મ છે. બ્રહ્મરૂપી કર્મમાં સમાધિસ્થ તે પુરુષ માટે પ્રાપ્ત કરવાનું પણ બ્રહ્મ જ છે.”
આવી બ્રહ્મમયી દષ્ટિ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મનું જ્ઞાન જરૂરી છે, બ્રહ્મનો અનુભવ તો દરેકને છે કેમ કે સર્વ વ્યવહાર અને પ્રવૃત્તિ તેના દ્વારા જ થાય છે. પણ બધું બ્રહ્મથી થાય છે અને બ્રહ્મ જ સર્વને સત્તા સ્ફૂર્તિ આપે છે તેવું જ્ઞાન નથી. અને જ્ઞાન વિનાના સર્વ અનુભવો દરિદ્ર છે. દા.ત. આપણા આંગણામાં એક વૃક્ષ છે. રોજ તે આંખે દેખાય સૌ તેના છાંયે બેસીને આરામ કરે, સૌ તેની શીતળતાનો અનુભવ કરે.