________________
(૨૩૬)
જીવ જ બ્રહ્મ છે કે ભ્રાંતિમાં બ્રહ્મ જ જીવ જેમ ભાસે છે તે નહીં જાણી શકાય. વિમૂઢ નાનુપરન્તિ પતિ જ્ઞાનવલુક: (ભ.ગી. ૧૫-૧૦)
यथा तरंगकल्लोलैर्जलमेव स्फुरत्यलम्।
पात्ररूपेण तानं हि ब्रह्माण्डौधैस्तथात्मता॥ ६३॥ યથા જેવી રીતે નતમ્ પર્વ જળ જ ત ખ્તોલે નતિ મનમુતરંગ કે લહેર રૂપે ફુરે છે, દિ અને પત્રરૂપે તાપ્રત્રાંબું જ વાસણ રૂપે દેખાય છે, તથા બ્રહ્માડીઃ માત્મા (સ્પતિ) તેમ જ આત્મા બ્રહ્માંડ રૂપે દેખાય
જેવી રીતે જળ અનામી, અરંગી છે છતાં અનંતરૂપી અને અનેકનામી તરીકે ભાસે છે.
“ગંગા જમના સરસ્વતી ભિન્ન નામ જે છેક બહુરૂપી બહુનામમાં જળરૂપે સહુ એક”
-શ્રી રંગ અવધૂત તેવી જ રીતે અનેક નામ અને આકારમાં, અનંત મૂર્તિઓ અને અમૂર્તનાં દેવ અને દેવીઓમાં પરબ્રહ્મ પરમાત્મા તો એકનો એક જ છે.
ભ શું મૂરખ ભૂત અનેક; ઈશ્વર છે સઘળે એક પાણી, અંબુ જલ, વારિ, આપમાં; નામ વિના નહીં ભેદ બાષ્પ, બરફ રૂપે જુદા પણ અંતે વારિ સહુ એક”
-શ્રી રંગ અવધૂત જેમ એક જ ત્રાંબું અનેક વાસણ રૂપે દેખાય છે, સોનું ઘરેણા રૂપે દેખાય છે, ચલચિત્રોનો પડદો ચિત્રરૂપે તેમ અનેક નામ, આકાર, અનામી, નિરાકાર, અભેદ અખંડ આત્મા જ નામી, સાકાર, ખંડિત અને ભેદયુક્ત ભાસે છે, પણ વાસ્તવમાં ભેદ અસ્તિત્વમાં જ નથી. તેથી ગમે તે નામે ગમે તેની પૂજા કે પાઠ કરો, ફાવે તેને ઉપાસો