________________
(૨૩૪)
તરીકે પારખી શાશ્વત શાન્તિનો સાક્ષાત્કાર કરવા પુન: થોડા સંકેતો આપવામાં આવ્યા છે. જેને ઓળખી ‘સ્વ’-સ્વરૂપની યાત્રામાં પ્રગતિ સાથે પ્રવાસ કરવાનો પ્રયત્ન કરીએ. બ્રહ્મ ન ઓળખાય તો વાંધો નહીં. ભ્રમને ભ્રમ તરીકે જાણીએ તો પણ બસ.
ભ્રમણા જ આવરણ ઊભું કરી ‘સ્વ’સ્વરૂપને કઇ રીતે ઢાંકે છે તે અહીં ચાર શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે.
यथैव व्योम्नि नीलत्वं यथा नीरं मरुस्थले । पुरुषत्वं यथा स्थाणौ तद्वद्विश्वं चिदात्मनि ॥ ६१ ॥
યથા વ=જેવી રીતે
યોનિ નીતત્વ આકાશમાં વાદળી રંગ દેખાય છે. મત્સ્યને નીમ્=રણમાં પાણીની ભ્રાંતિ (દેખાય છે) સ્થાળી પુરુષત્વમ્=ઠૂંઠામાં (વૃક્ષના થડમાં) પુરુષની ભ્રાંતિ (દ્રશ્ય છે.) તત્ત્વત્ વ=તે જ પ્રમાણે
વિલાત્મનિ વિશ્વમ્ ચૈતન્ય આત્મામાં જગતની ભ્રાંતિ ભાસે છે. यथा एव व्योम्नि नीलत्वम्
આપણા સૌનો પ્રત્યક્ષ અનુભવ છે કે આકાશનો રંગ વાદળી છે, પણ તે અનુભવ ભ્રાંતિપૂર્ણ છે. આકાશ તો રંગથી મુક્ત છે. છતાં સંધ્યા સમયે અને પ્રાત:કાળે ક્ષિતિજ પર અનેક રંગો ભાસે છે. અને તે સિવાયના સમયે આકાશ વાદળી લાગે છે. વંટોળિયાનો કચરો અને આંધી સમયે આકાશ ધૂંધળાયેલું દેખાય છે, પણ હકીકતમાં આકાશ દેખાય છે તેવું નથી. તે જ પ્રમાણે જે જગત આપણે જેવું જોઇએ છીએ તેવું કદી નહોતુ, નથી, રહેવાનું નથી. કારણ જે સ્વયં ભ્રાંતિ છે તેમાં વળી ‘કાળ’ કેવા ? સમયના ભેદ કેવા ? જે આકાશ ખરેખર વાદળી જ હોય તો સફેદ ઍરોપ્લેન નીચે ઊતરે ત્યારે રંગ બદલીને આવે! પણ ભ્રાંતિને નથી રંગ કે નથી તે અરંગ.
“મત્સ્યને નીમ્” તેવી જ ભ્રાંતિ રણમાં દેખાય છે. રણમાં હવા ગરમ થઈ ઊંચે જાય છે. પ્રકાશનાં કિરણો જ્યારે ગરમ હવામાંથી પસાર થાય છે ત્યારે વક્રીભવનના નિયમે વાંકા વળે છે અને તેથી જ જળ