________________
(૨૩૩) દેખાય, છતાં રૂ તો એકનું એક જ છે. પરપોટામાં આકાશ, નારિયેળમાં આકાશ, ઘડામાં ઘટાકાશ, મઠમાં મઠાકાશ, મેઘમાં મેઘાકાશ, હૃદયમાં હૃદયાકાશ, ગ્રહોમાં આકાશ, નક્ષત્રોમાં આકાશ અને તે સૌની બહાર, સૌની આજુબાજુ, ઉપર-નીચે, મહાકાશ, આમ છતાં આકાશ તો એકનું એક, અભેદ, અખંડ અને સર્વવ્યાપ્ત હોવા છતાં ભેદ ઉપાધિના છે, ભ્રાંતિના છે. તેવી જ રીતે પરબ્રહ્મ કે આત્મા ઇશ્વરના શરીરમાં સર્વજ્ઞ અને મહાન કહેવાય છે. અને જીવના શરીરમાં અલ્પજ્ઞ છે તે માત્ર ભ્રમ છે, ભ્રાંતિ છે, કલ્પિત ભેદ છે. નથી જેમ મઠાકાશ, ઘટાકાશ કે મહાકાશ, તેમ જ નથી જીવ,
mત કે ઈશ્વરનો ભેદ. જેમ એક જ આકાશ ભ્રમથી ભિન્ન ભાસે છે. જેમ એક જ લોટમાં પૂરી, રોટલી, ભાખરી, પરોઠા, સક્કરપારા વગેરે ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે; જેમ એક જ વાયુ પ્રાણ, અપાન, ઉદાન, સમાન, બાન તરીકે ઓળખાય છે; જેમ એક જ પાણી સમુદ્ર, નદી, સરોવર, કુવો, વાવ, વર્ષા, વાદળ, વરાળ, બરફ, “એચ ટુ ઓ” કહેવાય છે. તેવી જ રીતે એક અદ્વૈત બ્રહ્મને જ ભ્રાંતિથી અજ્ઞાની લોકો જુદા જુદા નામે જાણે છે, ઓળખે છે, અને ભેદ ઊભો કરે છે. અભેદ બ્રહ્મન જ ઝવ, ઈશ્વર અને જગતથી તેઓ જાણે છે. સર્વજ્ઞ, અલ્પજ્ઞ, સર્વશકિતમાન, અલ્પશક્તિમાન, એકદેશીય, સર્વદશીય.. તેવા ભેદ પણ ભ્રાંતિ જ છે.
દશ્યપ્રપંચ, જગત કે સંસારનો નિષેધ શ્રુતિના સાથમાં અને અનુભૂતિના સંગાથમાં મુક્તિનાથનો સંદેશ આપવા, અનેક યુક્તિ આચાર્યશ્રીએ આપણા હાથમાં સૂક્ષ્મ હથિયાર જેમ ધરી દીધી અને સંસારવૃક્ષને દઢતાથી, વૈરાગ્યથી મૂળ સહિત નિર્મૂળ કરવાનો સંકેત આપી દીધો. આમ હાથવેંતમાં અશ્વત્ય વૃક્ષ જેવો સંસાર છે અને હાથમાં હથિયાર છે. પછી રાહ શેની? પ્રતીક્ષા કોની? ઉઠાવ શસ! વાર કરતાં પહેલાં જ વૃક્ષ ઢળી જશે, કારણ કે તે કદી ઊભું જ નહોતું. સંસારવૃક્ષની ભ્રાંતિ હતી અને ભ્રાંતિરૂપી શસ્ત્રથી જ તે ભસ્મીભૂત થઈ ગઈ. “આ ભ્રાંતિ છે” તેટલી જ દઢતા જીવનમાં આવતાંવેંતા નથી ત્યાં જીવન, નથી સંસાર, નથી સંઘર્ષ કે નથી કોઈ સંસારી. જો સંસાર નથી તો સંસારી કોણ? સંસારી અને સંસાર નથી તો સર્જક કોણ? આમ ભ્રાંતિને ભ્રમણા