________________
(૨૩૧) તે અસત છે, અનિત્ય છે, મિથ્યા છે. પછી તે ગત હોય, શરીર હોય, પદાર્થ હોય કે જાગ્રત, સ્વપ્ન, સુબુમિની પરિસ્થિતિ હોય.
“મા ત્રણ ગુણાતીત નિત્યો હોલિાત્મ?” આ ત્રણે અવસ્થાનો જે સાક્ષી છે, તણા છે, તે તો ગુણાતીત છે. એક છે, અને નિત્ય ચૈતન્યરૂપ આત્મા છે. જે ત્રણે પરિવર્તન પામતી, આવજા કરતી અવસ્થાનો સાક્ષી છે તે અપરિવર્તનશીલ છે, અવિચળ છે. તેથી જ તેને અવસ્થાત્રય સાક્ષી કહે છે. તે સાક્ષી આત્મા જ સર્વનો કષ્ટા છે, માટે જ દશ્યથી ભિન્ન છે. તે સાક્ષી સ્વરૂપે છે તેથી સર્વ અવસ્થાને જાણે છે. અને સર્વનો જ્ઞાતા છે માટે જ જ્ઞાનસ્વરૂપ છે. આત્મા નિત્ય છે તેથી જ અજન્મા છે અને દક્ષાદશ્યથી મુક્ત છે. અને તે ચૈતન્યસ્વરૂપ સર્વનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે જ એક પૂર્ણ અને અતસ્વરૂપ. એકમાં નથી સર્જનહાર કે સર્જન, નથી જગત કે ઈશ્વરના ભેદ. જે ઈશ્વર જ નથી, તો, તેની શક્તિ માયા ક્યાંથી હોય? અને જે માયા જ નથી તો તેના ત્રણ ગુણ સત્ત્વ, રજ, તમન્ તેનામાં કેવા? અધિષ્ઠાન આત્મા તો સર્વનો સાક્ષી છે અને કારણ કાર્યથી મુક્ત, ભિન્ન છે. માટે જ તે માયા, તેના ત્રણ ગુણ અને તેના સર્જનથી ભિન્ન, મુક્ત છે. તેથી જ ગુણાતીત છે. માટે જ શંકરાચાર્યે કહ્યું છે. “મી
ગુણાતિતા” નથી આત્મામાં ગુણ કે નથી તે નિર્ગુણ. નથી તેમાં ભેદ કે અનેકતા; નથી જીવ, mત કે ઈશ્વર, તે બધું તો માયામાં છે, મિથ્યામાં છે, અદ્વૈતમાં નહીં.
"मायामात्रमिदं द्वैतं अद्वैतं परमार्थतः॥