________________
(૧૯૬)
ભેદ કેવો? હું જ જીવ અને હું જ ઈશ્વર તેટલું જ નહીં પણ મારા અધિષ્ઠાન ઉપર જ જીવ, .જ્ગત અને ઈશ્વરની રમત રમાય છે. હું તો એક અને અદ્વિતીય છું તેમાં કોણ કારણ અને કોણ કાર્ય? તેમાં ક્યાં છે દૃશ્ય અને દ્રા? છે ક્યાં ભોક્તા અને ભોગ્ય પદાર્થ? એ બધું તો માત્ર મારા જ સત્ સ્વરૂપના નિરૂપણ માટે મારા ઉપર જ આરોપાયેલી કલ્પનામાત્ર છે. હું તો ક્લ્પનાથી પર; છતાં મારા સ્વરૂપના અજ્ઞાનમાં જ મારી અને ઈશ્વરની વચ્ચે કાલ્પનિક દીવાલો ઊભી કરવામાં આવી અને આ દીવાલો ઊભી કરનારા સંપ્રદાયોના રખેવાળો ભ્રાંતિમાં ડૂબી બીજાને ડુબાડવાનો પ્રયત્ન માત્ર કરી રહ્યા છે. જેઓ સંપ્રદાયની દીવાલોમાં બંદી બની સત્ય શોધે છે તેઓ ભલે સ્વપ્નમાં સત્યને ડુબાડી સંપ્રદાયને તરતો રાખે; પણ સાક્ષાત્ શ્રુતિ, મુમુક્ષુ પર કૃપા કરી, કરુણા કરી, પોકાર કરે છે કે જે ભેદદર્શન કરે છે તે મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં જ પ્રવેશ કરે છે. શ્રુતિનાં આ વચનો ઉપનિષદની આ ગર્જનાઓ તો ચોમાસામાં ફૂટી નીકળેલા ઘાસ જેવા સંપ્રદાયો પૂર્વે પણ હતી છે અને રહેવાની. ઉપનિષદો તો અપરોક્ષ-અનુભૂતિ કરી ચૂકેલા ઋષિ-મુનિઓ અને વિચારકોની અલૌકિક વિચારણા છે જે વાડા, વંડા, સંપ્રદાયનો અને ધર્મોની તાળાબંધીથી મુક્ત છે. અને તેની જ સ્પષ્ટતા કરવા ભગવાન શંકરાચાર્યજી શ્રુતિસંમત વાત સમજાવવા શ્રુતિના મુખે જ સત્ય સમજાવે છે.
श्रुत्या निवारितं नूनं नानात्वं स्वमुखेन हि ।
कथं भासो भवेदन्य: स्थिते चाद्वयकारणे ॥ ४७॥
નં=ખરેખર
સ્વમુàન હિ-પોતાના મુખથી જ
શ્રુત્યા=શ્રુતિ દ્વારા
નાનાત્વ નિવારિત=સર્વ પ્રકારના ભેદનું નિવારણ થયું છે, ==અને વળી
અન્ય જાળે સ્થિતે અદ્વિતીય કારણ સિદ્ધ કરેલ હોવાથી
અન્ય: માત: થમ્ મવેત્-બીજો કોઈ ભેદ-ભાસ કઈ રીતે સંભવે ?
दोषोऽपि विहितः श्रुत्या मृत्योर्मृत्युं स गच्छति ।
इह पश्यति नानात्वं मायया वंचितो नरः ॥ ४८ ॥