________________
(૧૫)
શોક-મોહ નાશ यस्मिन् सर्वाणि भूतानि ह्यात्मत्वेन विजानतः।
न वै तस्य भवेन्मोहो न च शोकोऽद्वितीयतः॥५४॥ સ્મિન તમારે અતિ ભાવવાળી અવસ્થામાં રહીને સર્વાન મૂતાનિ દિ આત્મત્વેન વિજ્ઞાનતા સર્વભૂતોને આત્મભાવથી જાણનારા
તે પુરુષને અદિતીયત: અદ્વૈતતાને લીધે મોદ: ન જવેત્ શોઃ ર ર મ =શોક કે મોહ થતા નથી.
શાવાસ્ય” શ્રુતિમાંથી ઐક્યનો અલૌકિક સંદેશ લઈ ગ્રંથકારે અદ્વૈત અખંડ અભેદ દષ્ટિનો પરમ લાભ જીવનમાં કયો હોય તે સમજાવ્યું છે. વાત પણ સ્પષ્ટ છે કે જીવનમાં કદી આપણે આપણા માટે આસક્તિ ધરાવતા નથી. મને મારા માટે મોહ ન હોઈ શકે. આસક્તિ, પ્રાપ્તિની ઈચ્છા, રક્ષણની અપેક્ષા, રક્ષાની આકાંક્ષા કે ત્યાગની તત્પરતા હંમેશા બીજા માટે હોય. હું જે મારો બચાવ કે રક્ષા ઇચ્છે તો તે શરીરની રક્ષા કે સલામતી માટેની પ્રવૃત્તિ પાછળ મોહ બેઠો છે, આસક્તિ છે, કારણ કે શરીર “મારું” છે. જે પરાયાનું શરીર બીમાર હોય, દુકાળમાં રઝળતું હોય, પરદેશમાં પરાયાં શરીરો યુદ્ધમાં કપાતાં હોય તો દર્દ નથી કારણ કે તે માનવી કે દેશ માટે મોહ નથી; તેથી ઈરાન-ઈરાક યુદ્ધ માટે આપણે વ્યથિત નથી. ભારતની સરહદે લડાઈ થાય તો ચિંતા નથી. જે સૈનિકો સાથે તાદાત્મ અનુભવીને પોતાને સૈનિકો માને તેને જ યુદ્ધનું દુઃખ થાય અને વિજયનો આનંદ પણ થાય. આમ છતાં જે યુદ્ધમાં પોતાનો સગો સૈનિક તરીક હોય તો રોજ યુદ્ધના સમાચાર સાંભળવાની ઈચ્છા થાય. કારણ કે ત્યાં “મારો” છે, સગો છે, આસક્તિ છે, મોહ છે. અને અર્જુનનો પ્રશ્ન એ જ મોહમાંથી ઉદ્ભવ્યો છે. તે કહે છે કે.... “વેમં વનને કૃષ્ણ યુયુત્સુ સમુસ્થિતYI ૨૮.
“રનિ મમ ત્રીજ”! “હે કૃષ્ણ, લડવાની ઇચ્છાથી ઊભેલાં આ સગાને જોઈને, મારાં અંગો શિથિલ થાય છે.”
યુદ્ધમાં શસ્ત્ર લઈને યુદ્ધે ચઢવા તૈયાર થયેલ સૈનિકનાં આ વચનો નથી,