________________
(૨૧૭)
બાળકો અને પરાયાં બાળકો તેમાં જ વેર-ઝેર અને આસક્તિ છે, કારણ કે જ્યાં મારું આવે ત્યાં તે જ ક્ષણે તારું-પરાયું જન્મે છે અને જીવનની શાંતિને હણે છે. તેવો ભાવ જ “સ્વ-સ્વરૂપની વિસ્મૃતિનું કારણ બને છે. જ્યારે હું મારા જ સ્વરૂપને, સર્વ નામ અને આકારમાં જોઈ શકું ત્યારે એક જ પ્રશ્ન થાય કે હું ક્યાં નથી?
જ્યાં જ્યાં ગઝલ ને કાવ્ય છે તે શબ્દમાં હું શૂન્ય છું. મહેફિલ ઊઠી ગઈ છે છતાં કાનમાં ગુંજ્યાં કરું તે હું જ છું.
પડતા પાનખરના પાંદડામાં પતન તરીકે હું જ છું.
કોમળ કળીમાં લ થઈને મહેકનારો હું જ છું. સાગર છતાં વાદળ બનીને વ્યોમમાં ઘૂમનારો હું જ છું. પ્રશાંત પગલે અવતરી ઝાકળ મહીં ઊંધનારો હું જ છું.
સતત વિચરતા વિચારોમાં ગતિ તરીકે હું જ છું. નિરંતર દોડતી નદીઓનો સ્થિર કિનારો હું જ છું. લઈ ધરાના સાથીઓને આંધીમાં ઊડનારો હું જ છું.
થીજી ગયેલ તોફાન બરફ જેમ તે હિમાલય હું જ છું. જન જનમાં ખોવાઈ ગયો, કણ કણમાં વિખરાઈ ગયો, શોધી શકો તો આવજે, અનામીનું હું નામ છું, નિરાકારનો આકાર છું, આમ મને મારો પરિચય મારાથી મળે તે જ અદ્વૈત ઈષ્ટિનો લાભ છે.
અદ્વૈત શ્રુતિસંગત છે. अयमात्मा हि ब्रह्मैव सर्वात्मकतया स्थितः।
इति निर्धारितं श्रुत्या बृहदारण्यकसंस्थया॥५५॥ સર્વાત્મકતા સ્થિત =સર્વાત્મા રૂપે રહેલ મામ્ માત્મા હિ વહ gવક આ આત્મા ખરેખર બ્રહ્મ જ છે, રૂતિ વૃદલાવથસંચય કૃત્ય નિતિં બૃહદારણ્યક કૃતિમાં આ નિર્ધારિત
થયેલ છે.