________________
(૨૧૮) અહીં શંકરાચાર્યજીની નિખાલસતા અને નમ્રતાનાં અદ્ભુત દર્શન થાય છે. જે વિચાર તેઓ સમજાવે છે, તે પોતાનો મૌલિક છે તેવો અહંકારભરેલો દાવો તેઓ કરતા નથી. પણ ઊલટું જણાવે છે કે ઉપનિષદમાં જ આવું સમજાવ્યું છે, જેવું મેં અનુભવ્યું છે. અને ઉપનિષદ તો અગણિત શાનીઓની અપરોક્ષ અનુભૂતિનો નિષ્કર્ષ છે. તેથી ઐય, અભેદ અને અતિની વાસ્તવિકતા ઉપજાવેલી નથી, કે સંપ્રદાયની દીવાલોમાં ગૂંગળાયેલું તથાકથિત સત્ય નથી. એ તો સહજ, સ્વાભાવિક, સ્વયંસિદ્ધ, સનાતન અને શાવિત સત્ય છે. અને પરંપરાથી એ સત્યના સંકેતો શ્રુતિ અને સ્મૃતિ દ્વારા, અવિરત જ્ઞાનપ્રવાહ દ્વારા ગતને મળતા જ રહ્યા છે. તેથી જ સ્વયં કુરણ પરમાત્મા પણ સ્વમુખે “જ્ઞાનકર્મસંન્યાસયોગના સંદર્ભમાં કહે છે કે આ શાન કે શાનયોગ પરંપરાથી પ્રાપ્ત થયો છે. નથી તે મારું મૌલિક જ્ઞાન કે નથી બીજાનું,
pf RBIH Sાનો વિટા” આજે ક્યાં છે ભગવાન શંકરાચાર્યની નિખાલસતા? ક્યાં છે સ્વંય કૃષ્ણ પરમાત્માની પરંપરાગત અણીશુદ્ધ સ્પરતા? આજે તો સૌ શાનને પોતાનું આગવું મૌલિક ગણાવે છે. પોતાની પ્રાઈવેટ પર્સનલ સાક્ષાત્કાર માટેની યુક્તિ, પ્રયુક્તિ અને ટેકનિક માટે કેટલાય સંતો જાણીતા બન્યા છે. સેકંડમાં સમાધિ અને સ્યોર સજેશન” અને “ટેકસ ઈન ટુ ડેઈઝ” જેવાં ચોપાનિયાં, જાહેર ખબરો, પોસ્ટરો આજે શહેરોમાં જોવા મળશે. શાળા કે કોલેજના શિક્ષણ છતાં ઉઘડેલા પ્રાઈવેટ ક્લાસિસ જેવા, સમાધિના, કુંડલિની જાગ્રત કરવાના, શક્તિનો પાત કે પોતાનો તે નહીં જાણનાર માટે શક્તિપાતના વર્ગો, અને જ્ઞાન માટે પણ અનેક ધર્મોના, સંપ્રદાયોના યૂશન ફી લઈ વર્ગો શરૂ થઈ ગયા છે. જાણે કે આત્મજ્ઞાન એ મહાપુરુષો, સંતો, મહાત્માઓ, યોગીઓ કે આચાર્યોની મોનોપોલી ન હોય!
ખરેખર તો મૌલિકતાના દવા, સંપ્રદાયની દીવાલો, ધર્મના વાડાઓ, મહાપુરુષોની મોનોપોલી જેવી ટેકનિકો, જાદુના ખેલ કરતા મદારી જેવા મહાત્માઓના ચમત્કારો કે ટયૂશન ફી સાથે અપાતું આત્મજ્ઞાનનું યોગનું સમાધિનું સેમ્પલ વગેરે છોડીને આપણે સૌએ આપણી અજબગજબની, અલૌકિક પરંપરાને આત્મસાત કરવા મા શ્રુતિના શરણે જવાની જરૂર