________________
(૨૨૫)
કરનાર કેવો? જે સર્પ સાચો નથી તેનો લય ઘેરીમાં થાય તે લય પણ
ક્યાં સાચો છે! તેમ છતાં ભ્રાંતિ અને ભ્રમનો’ આરોપ કે ભાસનો અથવા દશ્યપ્રપંચનો નાશ એવું જે બોલાય છે. કહેવાય છે. તે જ અધિષ્ઠાનનું શાન છે. “આ દોરી છે” તેવું જ્ઞાન તે જ સર્પનો નાશ “દોરી જ સર્પ છે', “છિપોલી જ ચાંદી છે” “બ્રહ્મ જ દયપ્રપંચ છે” તેવું જ્ઞાન તે જ દશ્ય પ્રપંચનો લય, પ્રલય કે નાશ છે. પ્રલય નથી આપણી બહાર કે નથી અંદર. જેનું અસ્તિત્વ જ નથી તેમાં શું બહાર, શું અંદર? આમ ભ્રાંતિમાં, તેતમાં, માયામાં, આરોપમાં, મિથ્થામાં, અસતમાં, દશ્યમાં, વિકારમાં, બાધિતમાં જ હેત છે. પરમાર્થમાં બધું એક, અભેદ, અખંડ છે. તેની સમજ હવે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિના સહારે સમજીએ.
જો ભ્રાંતિથી દેખાતો સર્પ વાસ્તવિક રીતે, વ્યાવહારિક રીતે પણ સાચો જ હોય તો પછી તેની નિવૃત્તિ ન જ થાય અને જો ખરેખર તે સર્પનું અસ્તિત્વ હોય તો તો કંઈ પણ ન કરીએ છતાંય કાળક્રમે ભાવવિકારના ન્યાયે, તે સર્પનો સ્વત: જ નાશ થાય. પણ તેવું નથી થતું. તે સર્પના નાશ માટે દોરીનું જ્ઞાન આવશ્યક બને છે. અને સર્પનો બાધ થાય છે તે જ પ્રમાણ છે કે તે સર્પ વાસ્તવિક નથી. નહીં તો બાધ થાય નહીં. તે જ પ્રમાણે mત પણ ભ્રાંતિ છે, ભાસ છે. તેનું જે વાસ્તવિક અસ્તિત્વ હોય, તો તે પોતાની મેળે જ સ્વત: જ નાશ પામશે. જે તે વ્યવહારમાં પણ સાચું હોય તો તેની વિદ્યમાનતા વાસ્તવિક કહેવાય. અને તેનો બાધ ન થાય. પણ “ઝાતે તત્ત્વ : સંસ?” મુજબ તેનો બાધ થાય છે. ઉપરાંત તે ભ્રાંતિ છે માટે પ્રયત્નથી અજ્ઞાન દૂર કરવું પડે છે અને અજ્ઞાન દૂર થતાં કારાણના નાશથી જગતરૂપી કાર્ય પણ નાશ પામે છે તેમ કહેવાય છે. પણ અજ્ઞાન વિના તેનો ભાસ નથી તેથી નથી સંસાર શરૂ થયો, નથી તેનો લય થયો. ભ્રાંતિને નથી જન્મ, નથી મોત. આમ જે જગતની જ ઉત્પત્તિ નથી, તો પછી ગતમાં જ અનુભવાતી સ્વપ્ન, જાગ્રત અને સુપ્તિની અવસ્થાઓ અને તેના પદાર્થો ક્યાંથી વાસ્તવિક હોય? તેથી અનુભવાતી ત્રણ અવસ્થા માં તો મિથ્ય છે, કાં તો માયામય કે કલ્પલ મનોમય છે.
વનો નારો તીવ: વનેડ િર દિ ના”