________________
(૨૨૮) તે તૂટે ત્યારે જ, જ્ઞાનકાળે જ જાગૃતિ પણ મિથ્યા જણાય છે. છતાં એક સ્પષ્ટતા સમજી લેવી:
(અ) અલ્પજીવી સ્વપ્ન કે દીર્ઘજીવી જાગ્રતના પદાર્થો કલ્પિત છે. બન્ને પદાર્થોનો જીવનકાળ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી.. કારણ કે. ગમે તેટલું દીર્ધ જીવન પણ અતિ અલ્પ જ છે, અનિત્ય જ છે. અસત્ અને મિથ્યા જ છે,
પર્વ તિમ"મેર” (કઠ કૃતિ, ૧-૨૫) (બ) વ્યક્ત-અવ્યક્ત બધું જ કલ્પના છે. (ક) જે જે આદિમાં અને અંતમાં હોતું નથી, તે તે વર્તમાનમાં દશ્ય હોય છતાં હોતું નથી.
અર્થાત્ જે માત્ર વચ્ચે વચ્ચે દેખાય તેનું વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. બીજા શબ્દોમાં જેને જેને પ્રાગભાવ કે પ્રધ્વસાભાવ પ્રાયર નોન-એકઝિસ્ટન્સ અને પોસ્ટીરિયર નોન-એકઝિસ્ટન્સ હોય તેને ઍબ્સોલ્યુટ એકઝિસ્ટન્સ-નિરપેક્ષ અસ્તિત્વ હોતું નથી. ટૂંકમાં, જે પહેલાં, પૂર્વે, ભૂતકાળમાં નહોતું અને પછી ભવિષ્યમાં રહેવાનું નથી તે ભલે વર્તમાનમાં દશ્ય હોય, ભાસે, પ્રતીત થાય છતાં હોતું નથી. અર્થાત્ વચ્ચે વચ્ચે માત્ર વર્તમાનમાં દેખાતા પદાર્થો વસ્તુઓ કે વ્યક્તિઓ નિત્ય હોતી નથી, ત્રણે કાળમાં રહેનારી હોતી નથી, ત્રિકાલાબાધિત હોતી નથી. માટે જ તેને અસત કે મિથ્યા કહેવાય છે. અને આપણા અનુભવમાં છે તે ત્રણે અવસ્થા-સ્વપ્ન, જાગ્રત અને સુપ્રિ-એક એક કાળે બાધિત થાય છે. તેથી તે અસત કે મિથ્યા છે. જે આ અવસ્થાઓ જ મિથ્યા છે. તો તેમાં દશ્ય પદાર્થો, વસ્તુઓ, વ્યક્તિઓ કઈ રીતે નિત્ય કે સત્ય હોઈ શકે? છતાં આપણે અસતુ પદાર્થો પાછળ, અનિત્ય પરિસ્થિતિ પાછળ, મિશ્રા સગાંવહાલાં અને સ્નેહ પાછળ, આસક્ત થયા, મોહિત થયા, શોકમગ્ન બન્યા કેટલી મૂર્ખતા. મૂઢતા.. અજ્ઞાનતા! માં કારિકામાં પણ આ જ સંકેત વૈતબ પ્રકરણમાં જોવા મળે છે:
માલવન્ત = ચન્નતિ વર્તમાનેડપિ તથા II “જે આદિ કે અંતમાં વિદ્યમાન ન હોય તે વર્તમાનમાં પણ તેવું જ હોય.” [અવિદ્યમાન જ હોય. આવું સનાતન સત્ય જેને સમજાયું