________________
(૨૨૦)
અનુભવગમ્ય સંસાર અસત્ છે
अनुभूतोऽप्ययं लोको व्यवहारक्षमोऽपि सन् । असद्रूपो यथा स्वप्न उत्तरक्षणबाधतः ॥ ५६ ॥
અયં તો:=આ સંસારલોક
અનુભૂત : અપિ-અનુભવાય છે; (છતાં) વ્યવહાલમ: અપિ સન્=વ્યવહારગમ્ય છે છતાં પણ યથા સ્વપ્ન:=જાગેલા પુરુષને જેમ સ્વપ્ન ખોટું લાગે છે તેમ જ ૐત્તરક્ષળવાધત: =છેવટની ક્ષણોમાં, અર્થાત્ શાનને અંતે
अयम् તો : અસત્પ:=આ સંસાર અસત્ જણાય છે. ગતમાં જે કંઈ વ્યવહારમાં ઉપયોગી જણાય છે, જેનાથી જગતનો વ્યવહાર શક્ય બને છે, તે તે વસ્તુ સારી હોય કે નરસી, ઉપયોગી હોય કે નકામી, પુણ્ય હોય કે પાપ, સ્વર્ગ હોય કે નરક, અનુભવગમ્ય હોય, સાક્ષાત્ હોય, ઇન્દ્રિયગમ્ય હોય છતાં પણ તે કદી ‘સત્' નથી. ‘સસ્તું તો માત્ર એક છે, અને તે તો અપરિવર્તનશીલ છે અને પૂર્ણ છે. તેમાં પરિવર્તન, રૂપાંતર કે સુધારો ન થઈ શકે તો પછી જગતમાં ક્યાંય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ માટે સુધારાને ફેરફારને સ્થાન જ નથી. છતાં કોઈ માને કે આત્મા કે બ્રહ્મમાં સુધારો કે પરિવર્તન ન થાય; પણ જગતમાં તો થાય અને તે માટે પ્રયત્ન જરૂરી છે તો તે પણ વાહિયાત વાત છે. જ્ગત જો સ્વપ્નવત્ છે, ભ્રાંતિ છે, તો તેના સુધારાની ભાંગડ કેવી? ભ્રાંતિમાં વળી ફેરફાર કેવો ? સ્વપ્નને કોણ બગાડી કે સુધારી શકે? અને જે જાગ્રતમાં રહેતું નથી તેના માટે વ્યર્થ આંસુ ખેરવાનો કોઈ અર્થ ! તેના માટે કોઈ પરિશ્રમની શક્યતા ખરી ? અને જો કોઈ પ્રયત્ન કરે તોપણ સ્વપ્નવત્ જ્ગતને સુધારવાનો પ્રયત્ન પણ સ્વપ્ન જેવો ખોટો જ ને? કારણ કે “જાગીને જોઉં તો જગત દીસે નહીં (ઊંધમાં=અવિદ્યાની નિદ્રામાં) ઊંઘમાં અટપટા ભોગ ભાસે.”
સ્વપ્નસૃષ્ટિના વિષયો, પદાર્થો ચિત્તનો જ વિહાર છે, આરોપ છે, પ્રક્ષેપણ છે, પ્રોજેકશન છે અને તે જ ચિત્તનો વિલાસ જ તે જાગ્રત અવસ્થાની વ્યક્તિઓ, વસ્તુઓ અને પરિસ્થિતિઓ છે. તેમાં કોઈ ફેર નથી છતાં ભેદ દેખાય છે. સ્વપ્ન અંદર દેખાય છે અને જાગૃતિના પદાર્થો બહાર દેખાય છે. આમ છતાં હકીકત છે કે બન્ને દેખાય છે. અને દેખાય છે માટે