________________
(૨૦૯)
જગત બ્રહ્મની અભિન્નતાનું દૃષ્ટાંત सुवर्णाज्जायमानस्य सुवर्णत्वं च शाश्वतम् । ब्रह्मणो जायमानस्य ब्रह्मत्वं च तथा भवेत् ॥ ५१ ॥ સુવîત્ નાયમાનસ્ય=સોનામાંથી જન્મેલ ઘરેણાનું સુવર્ણત્વમ્ ગારવતમ્ ૬= સોનાપણું શાશ્વત છે. તથા ચક્ર તે જ પ્રમાણે
બ્રહ્મળ: નાયમાનસ્ય બ્રહ્મત્વ મવે- બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ પ્રાણી પદાર્થોનું બ્રહ્મપણું પણ શાશ્વત છે.
“સુવર્વાંત્ નાયમાનસ્ય' અહીં ઘરેણાં જન્મે છે સોનામાંથી, તેમ કહ્યું તે સમજાવવા માટે છે. અર્થાત્ આકાર કે રૂપનો જ જન્મ થાય છે. સોનું જન્મતું નથી અને જે આકાર જન્મે છે તે આકારમાં જ વૃદ્ધિ છે, વિકાર છે, પરિવર્તન છે, ક્ષય છે અને તેનો નાશ પણ છે. દાગીનાના આકારમાં રૂપાંતર થઈ શકે, સોનામાં નહીં. તેમાંનું સોનું તો શાશ્વત જ છે. જેમ આકાર બદલાય, લીન થાય, તેમ આકાર પર થોપાયેલ આરોપિત નામ પણ નષ્ટ થાય. બંગડીને ઓગાળતાં નામ અને આકાર નષ્ટ થશે; સોનું શાશ્વત રહેશે જ. તે જ પ્રમાણે બ્રહ્મથી ઉત્પન્ન થયેલ જીવોમાં, પ્રાણીઓમાં, માનવીમાં અને જગતમાં જ ફેરફાર કે રૂપાંતર થઈ શકે, તેનો જ નાશ થઈ શકે કારણ કે તે જન્મેલ છે. જગતમાં કે શરીરમાં જે બ્રહ્મત્વ છે તે તો સોના જેમ શાશ્વત છે. અહીં ખરેખર વાસ્તવિક રીતે જગતનો જન્મ બ્રહ્મથી થાય છે તેમ નહીં; પણ જન્મ થતો પ્રતીત થાય છે; ભાસે છે. ખરેખર તો જેમ ‘ઘડો' નામ અને તેનો ‘આકાર’ માટી પર આરોપિત છે, ‘બંગડી' નામ અને તેનો ‘ગોળાકાર’ સોના પર આરોપિત છે તેમ જ જગતના તમામ નામ+આકાર નિરાકાર બ્રહ્મ પર આરોપિત છે. અને તે આરોપને સત્ય માનવું તે જ જગતનો જન્મ છે. દા. ત. સામે વૃક્ષ છે તે આકાર પણ તે ‘લીમડો' છે તે નામ છે. હવે ‘નામ’ અને ‘આકાર' બાદ કરીએ છતાં બચે છે મનમાં વૃક્ષનું જ્ઞાન. નામ અને આકારના નાશ પછી પણ “નામનો નાશ છે” તે જ્ઞાન નાશ પામતું નથી. તેથી જ તો જ્ઞાનનું બીજું નામ બ્રહ્મ છે. અને બ્રહ્મને જ્ઞાન કહેવાય છે. “સત્ય જ્ઞાનં અનાં દ્રા.' તત્ત્વજ્ઞાનમાં તત્ત્વમય બનેલા આપણા લોકપ્રિય કવિ નરસિંહ મહેતા કેટલી સરળ ભાષામાં સહજતાથી કહે છે કે:
“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે,