________________
(૨૧૧) અને સ્પષ્ટ હોવા છતાં સમજાઈ નથી અથવા સમજાઈ છતાં સંપ્રદાયના વાડાઓમાં કેદ થયેલા તેઓ સત્ય સ્વીકારી શકે તેમ નથી, કારણ કે તેમ કરતાં સંપ્રદાયે આપેલી સત્તા-મહત્તા નષ્ટ થઈ જાય. તેઓ મઢ સત્તાને ભોગે જન્મમૃત્યુના ચક્રમાં ખરા ખાવાનું પસંદ કરે છે પણ મહત્તા છોડતા નથી. ભય અને ભ્રમને સ્વીકારે છે પણ બ્રહ્મને નહીં. તૈત્તિરીય શ્રુતિએ સ્પષ્ટતા કરી છે કે: ___“यदा ह्येष एतस्मिन् उदरम् अन्तरम् कुरुते अथ तस्य भयं भवति।" “ક્યાં સુધી જરાક જેટલો પણ પરમાત્મા સાથે ભેદ કરે છે ત્યાં સુધી તેને ભય રહે છે.” અને બૃહદારણ્યક કૃતિએ તો કહ્યું જ છે કે “ભય તો વૈતમાં જ છે” “ફિતીયા મયં મવતિ” જ્યાં સુધી જીવ-ઈશ્વરનો ભેદ સમાપ્ત ન થાય ત્યાં સુધી કદી ભય દૂર થાય તેમ નથી કારણ જે જીવ અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, જન્મવાની છે તે તેવો જ રહે છે અને પોતાને દેશ, કાળ, વસ્તુથી પરિચ્છિન્ન જ માને છે. ભેદમાં ઈશ્વરદર્શન શક્ય જ નથી. અને સાચા ઈશ્વરદર્શન જીવ અને ઈશ્વરની ઉપાધિના નાશમાં જ છે. અને તે બંને ઉપાધિનો નાશ તે જ સ્વરૂપનાં દર્શન છે, તેવું શ્રી રમણ મહર્ષિ સમજાવે છે.
“શાનીવયોવૈષધીમિલા સમાવતો વ વતન” “જીવ અને ઈશ્વરમાં માત્ર વેશનો જ ભેદ છે. પરમાર્થમાં સત્ વસ્તુ તો એક જ છે.”
- “વેષદનતિ: સ્વાત્મદર્શનમ્ | વિનં વાત્મપતો” જીવ અને ઈશ્વરનો જો વેશ અર્થાત્ ઉપાધિ દૂર થાય તો જ સ્વાત્મદર્શન થઈ શકે, સ્વ-સ્વરૂપનાં દર્શન જ ઈશ્વરદર્શન છે. અને આવા ઈશ્વરદર્શન કે સ્વસ્વરૂપ દર્શનથી જ ભેદ, ભય અને દ્વિત નાશ પામે છે.
સ્વરૂપના અજ્ઞાનમાં જ દૈત જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે તેને સ્પષ્ટ છે કે જે આત્મતત્વ મારામાં છે તે જ આત્મા કે ચૈતન્ય પ્રાણીમાત્રમાં સરખું અને સર્વવ્યાપ્ત છે. જડ અને ચેતનમાં ચૈતન્ય તો એક જ છે. વ્યક્ત અને અવ્યક્તમાં ચૈતન્યની દષ્ટિએ કોઈ ફેર નથી. તેવું જાણનાર માટે ક્યાંય કોઈ ભેદ શકય નથી. તેની દૃષ્ટિમાં સર્વ કંઈ અભેદ, અખંડ અને એક જ છે. આવી અભેદ દષ્ટિમાં જે થોડો પણ ભેદ દશ્ય થાય તો પ્રથમ ‘હું ‘ગદં= નવ જન્મે છે. અર્થાત “હું કર્તા છું; ભોકતા છું, શેઠ છું, બ્રાહ્મણ છું, ધનવાન