________________
(૧૦૮)
અને જે ચૈતન્ય પિંડમાં છે તે જ સર્વવ્યાપ્ત પરિપૂર્ણ બ્રહ્માંડમાં પણ છે. અને તેથી ભિન્ન કંઈ જ નથી. આમ વિજ્ઞાન અને તત્વજ્ઞાન આજે એક જ નિષ્કર્ષ ઉપર આવી પહોંચ્યાં છે. પણ માત્ર બન્નેની ભાષા જુદી છે. પારિભાષિક શબ્દો ભિન્ન છે. જે બન્ને એક ટેકનિક્લ ટર્મિનોલોજી અપનાવે તો બે જુદા દેખાતા અભિગમો એક થઈ જાય. કરણ બંનેનું તારણ એક જ છે. નામ-આકાર અને કર્મ બ્રહ્મ છે.
ब्रह्मैव सर्व नामानि रूपाणि विविधानि च।
__कर्माण्यपि समग्राणि, बिभर्तीति श्रुतिर्जगौ॥५०॥ સર્વ નામાનિ વહ્ય = સર્વ નામો અને સર્વ રૂપો બ્રહ્મરૂપ જ
૨ =અને વિવિધ સમાળિ વર્માન જુદાં જુદાં સંપૂર્ણ કર્મોન બ્રહ્મ જ ધારણ કરે પિ ઈ ઇવ નિમર્તિ =છે. તિ શ્રુતિઃ ન = આવું શ્રુતિએ કહ્યું છે.
જો બ્રહ્મથી જ સૃષ્ટિની ઉત્પત્તિ માનીએ તો બ્રહ્મ કારણ કહેવાય અને જે કાર્ય છે તે બ્રહ્મથી ભિન્ન ન જ હોય. તેથી ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે હું વચમ્ વં સર્વ વત્ વિવિ નત્યિાં નાત/ ઉપરાંત, શ્રુતિની સ્પષ્ટતા છે કે બ્રહ્મ નિરાકાર -અનામી છે. છતાં નામ અને આકાર તેના પર આરોપિત છે અને આરોપ પણ અધિષ્ઠાન વિના જીવી ન શકે. તેથી નામ અને આકાર પણ બ્રહ્મમય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં નામ, આકાર અને કર્મને બ્રહ્મરૂપ જ કહ્યાં છે. ત્રયં વા વં નામ " વર્ગ અને ગીતાના ચતુર્થ અધ્યાયમાં પણ કમનિ બ્રહ્મરૂપી કર્મ કહ્યું છે -"હાર્મ સમાધના”
આમ જેને નામ, આકાર અને કર્મ પણ બ્રહ્મરૂપ જણાય છે તેની દષ્ટિ બ્રહ્મરૂપ બની જાય છે અને તેથી અભેદ અદશ્ય તેને, અભેદ જ સર્વ જણાય છે. તેથી જ તે અભયને પ્રાપ્ત કરે છે અને તેવી અભયદષ્ટિ તે જ પ્રપંચની નાબૂદી અને પરબ્રહ્મનો સર્વત્ર સહજ સ્વીકાર છે.