________________
(૧૯૯)
શાસ્ત્રોએ, કવિઓએ અને સંતોએ એ જ વિચારને અવનવી રીતે વાચા આપી છે. શ્રીરંગ અવધૂત લખે છે કે સામન્ય માનવી જ નહીં પણ મહાન તપસ્વી અને યોગીઓ પણ ભેદદર્શનથી સંસારચક્રમાં અટવાયા કરે છે. અને જન્મમૃત્યુના સાગરમાં વારંવાર ગોથાં ખાધા જ કરે છે.
કોક
" नानानेह કથે શ્રુતિ એક અનેક સર્વ દત્ત કહે કોઈ તને; રામકૃષ્ણ દિનમણિ શિવશકત્યાદિ તું નામરૂપ મહાતપસ્વી યોગીઓ ભેદે ગોથાં “નાનાઐક્ય” જ્ઞાનથી રંગ પાર થઇ
ફોક !
ખાય !
જાય.”
વળી
સહુ
શ્રુતિએ જે કહ્યું તે જ અનુભવનિષ્ઠ સંતોએ અભિવ્યક્ત કર્યું. તેવું જ ગીત કવિઓએ ગાયું. અને તેનું જ પ્રતિપાદન સ્મૃતિએ પણ કર્યું. ભેદ મિથ્યા છે. અને સનાતન સત્ય, નિર્વિવાદ, અધિષ્ઠાન તો માત્ર એક અદ્વૈત પરબ્રહ્મ જ છે તેવી સ્પષ્ટતા કૃષ્ણ પરમાત્માએ પોતાને સ્વમુખે કરી પછી ક્યાં છે સંદેહ? ક્યાં રહી શંકા? ભગવાને કહ્યું કે
“पिताहमस्य जगतो माता धाता पितामह: ।
વેદ્યું પવિત્રમાંા: રૃ સામ યનુોવ ૬ ૫૯-૧૭૫
અહીં ભગવાને સ્પષ્ટતા કરી છે કે જે કંઇ છે તે હું જ છું. પરબ્રહ્મ સર્વનું અધિષ્ઠાન તે હું જ છું. મુજથી ભિન્ન કંઇ જ નથી તે સમજાવવા કહે છે કે જગતનો પિતા, માતા, ધારણકર્તા, પિતામહ, પવિત્ર ૐકાર, ઋક્, સામ અને યજુર્વેદ હું જ છું. એટલું જ નહીં પણ
" गतिर्भता प्रभुः साक्षी निवास : शरणं सुहृत् ।
પ્રમનઃ પ્રતય : સ્થાન નિધાનં નીગમવ્યયમ્॥ (ગી.અ.૯-૧૮) I
હું . જ સર્વની ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ્થાન, શરણ અને સુહૃદ છું તેમ જ (જગતની) ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, નિધાન અને અવિનાશી બીજ પણ હું જ છું.”
આત્મતત્વની એકતા, અસંગતા, પરિપૂર્ણતા, વ્યાપક્તા, અખંડિતતા એટલી સહજ અને સરળ છે છતાં અનેક જન્મોના ભેદદર્શનના થીજી ગયેલા સંસ્કારોથી તે સમજાતી નથી. અને બીજું, જેનું પૂર્વગ્રહયુક્ત માનસ છે,