SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૯) શાસ્ત્રોએ, કવિઓએ અને સંતોએ એ જ વિચારને અવનવી રીતે વાચા આપી છે. શ્રીરંગ અવધૂત લખે છે કે સામન્ય માનવી જ નહીં પણ મહાન તપસ્વી અને યોગીઓ પણ ભેદદર્શનથી સંસારચક્રમાં અટવાયા કરે છે. અને જન્મમૃત્યુના સાગરમાં વારંવાર ગોથાં ખાધા જ કરે છે. કોક " नानानेह કથે શ્રુતિ એક અનેક સર્વ દત્ત કહે કોઈ તને; રામકૃષ્ણ દિનમણિ શિવશકત્યાદિ તું નામરૂપ મહાતપસ્વી યોગીઓ ભેદે ગોથાં “નાનાઐક્ય” જ્ઞાનથી રંગ પાર થઇ ફોક ! ખાય ! જાય.” વળી સહુ શ્રુતિએ જે કહ્યું તે જ અનુભવનિષ્ઠ સંતોએ અભિવ્યક્ત કર્યું. તેવું જ ગીત કવિઓએ ગાયું. અને તેનું જ પ્રતિપાદન સ્મૃતિએ પણ કર્યું. ભેદ મિથ્યા છે. અને સનાતન સત્ય, નિર્વિવાદ, અધિષ્ઠાન તો માત્ર એક અદ્વૈત પરબ્રહ્મ જ છે તેવી સ્પષ્ટતા કૃષ્ણ પરમાત્માએ પોતાને સ્વમુખે કરી પછી ક્યાં છે સંદેહ? ક્યાં રહી શંકા? ભગવાને કહ્યું કે “पिताहमस्य जगतो माता धाता पितामह: । વેદ્યું પવિત્રમાંા: રૃ સામ યનુોવ ૬ ૫૯-૧૭૫ અહીં ભગવાને સ્પષ્ટતા કરી છે કે જે કંઇ છે તે હું જ છું. પરબ્રહ્મ સર્વનું અધિષ્ઠાન તે હું જ છું. મુજથી ભિન્ન કંઇ જ નથી તે સમજાવવા કહે છે કે જગતનો પિતા, માતા, ધારણકર્તા, પિતામહ, પવિત્ર ૐકાર, ઋક્, સામ અને યજુર્વેદ હું જ છું. એટલું જ નહીં પણ " गतिर्भता प्रभुः साक्षी निवास : शरणं सुहृत् । પ્રમનઃ પ્રતય : સ્થાન નિધાનં નીગમવ્યયમ્॥ (ગી.અ.૯-૧૮) I હું . જ સર્વની ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ્થાન, શરણ અને સુહૃદ છું તેમ જ (જગતની) ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, નિધાન અને અવિનાશી બીજ પણ હું જ છું.” આત્મતત્વની એકતા, અસંગતા, પરિપૂર્ણતા, વ્યાપક્તા, અખંડિતતા એટલી સહજ અને સરળ છે છતાં અનેક જન્મોના ભેદદર્શનના થીજી ગયેલા સંસ્કારોથી તે સમજાતી નથી. અને બીજું, જેનું પૂર્વગ્રહયુક્ત માનસ છે,
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy