________________
(૨૦૦) જેઓ સંપ્રદાયની દીવાલોમાં કેદ છે, અવિદ્યાની નિદ્રામાં ઘરે છે તેમને પણ તે સહજ સ્વીકાર્ય નથી. તે જ મહાન દઈ છે, દુ:ખ છે, જેની કોઈ દવા નથી, કારણ કે તને સાબિત કરવાની જરૂર નથી તે તો
સ્પષ્ટ જ છે. ભેદ તો નરી આંખે દેખાય છે. નથી તેને સૂક્ષ્મ બુદ્ધિ કે તર્કની જરૂર, નથી સમય કે શાસોની આવશ્યકતા. અને અનેમાં એક જેવાની કળા પણ સહજ છે. રોજિંદા સ્વપ્ન અને સુપ્તિના અનુભવથી સ્પષ્ટ છે કે ભેદ સ્વપ્નવત છે અને સુમિમાં બીજું નથી માટે આનંદ છે. છતાં જે ખૂબ સરળ, જે રોજ અનુભવાય તે જ સમજાતું નથી! તે જ મહાન આશ્ચર્ય છે. તદર્શનની માત્ર એક જ દવા, સ્વપ્નવત્ ભેદની નિદ્રામાંથી જાગવું. છતાં કોઈ દવા નહીં-ભ્રાંતિની વળી દવા કેવી?
“હું દુઃખ સારા મેં કોઈ નહીં ઉસકી દવા યહ દય સારા હૈ મૃષા, ફિર વૈત કેસા વાહ વાહ ચિન્માત્ર હું મેં એકરસ; મમ કલ્પના યહ દશ્ય હે
મેં કલ્પનાસે બાહ્ય હું આશ્ચર્ય હે! આશ્ચર્ય છે!! ચર્ચાના સારમાં, મનનવિચારના સાગરમાં ડૂબકી મારી અને જે નિર્ણયમોતી હાથ આવ્યું છે એ જ કે દૈતદષ્ટિની નાબૂદી માટે વિચારવું કે જે કંઈ ભાસે છે, દેખાય છે. અનુભવગમ્ય છે, જેની જેની પ્રતીતિ થાય છે તે સર્વ મિથ્યા છે. અને જો અતિમાં નિષ્ઠા દઢ કરવી હોય કે અદ્વૈતનું પ્રતિપાદન કરવું હોય તો વિચારવું કે જેની પ્રતીતિ થતી નથી તે અને થાય છે તે સર્વ કંઈ બ્રહ્મમાત્ર જ છે. અથતિ દય અને અદશ્ય, વ્યક્ત અને અવ્યક્ત, સર્વ બ્રહ્મ છે તેવી શાનીની દષ્ટિમાં નથી રાગ, નથી દુષ, બ્રહ્મમાં ક્યાં છે રાગ, ક્યાં છે દ્વેષ? અને જે જ્ઞાની તારણ પર આવે, નિષ્કર્ષ પર આવે, અપરોક્ષ-અનુભૂતિથી નિચોડ કાઢે કે જીવ અને આત્માનો કે પિંડ અને બ્રહ્માંડનો ભેદ જ નથી તો ઐક્યમાં પણ નથી શોક કે મોહ, તેથી સ્પષ્ટ છે કે ઐક્યદર્શન કે બ્રહ્મદર્શનમાં.
જન્મ-મરણ નથી. કારણ, ‘સમય’, ‘કાળ” નથી સ્વર્ગ કે નરક નથી. કારણ, દેશ', 'સ્પેસ” નથી. પિંડ-બ્રહ્માંડનો ભેદ નથી. કારણ, વસ્તુ નથી.
રાગ-દ્વેષ નથી. કારણ, અન્યનો આભાસ નથી. આમ તત્વજ્ઞાની કે આત્મવિચારણાને વરેલો આત્મજ્ઞાની જીવનમુક્ત થાય છે.