________________
(૨૦૫).
ભેદ ક્યાં? ભાવ ક્યાં? બે વસ્તુમાં જ ભેદ છે. અને જે વસ્તુ હોય તેમાં સ્વગત ભેદ પણ હોય. અર્થાત્ વસ્તુ દશ્ય હોય, દશ્યને નામ-આકાર હોય અને તેનાં અનેક અંગ કે વિભાગ હોય. જ્યારે આત્મા કે બ્રહ્મ વસ્તુ નથી; તે દશ્ય નથી; તેનો જન્મ નથી; તે તો નિરાકાર-એક-અદ્વિતીય તત્ત્વ છે. તેમાં કટા કે દશ્યની ભ્રાંતિ ક્યાં છે? આમ અધ્યારોપ કરવા, ઉત્પત્તિ સમજાવવા, પ્રથમ દેશ, કાળ અને વસ્તુ દ્વારા ભેદ સ્વીકારવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે -
શિવતવિષયતિર્લિ યજ્ઞ તત્ત્વમસિ માવત્મિ7િ' જે બ્રહ્મ દેશ, કાળ, વસ્તુ-વિષયથી મુક્ત છે તે જ તું છે -આમ તું ચિત્તમાં વિચાર કર. આવી રીતે પ્રથમ દેશ, કાળ, વસ્તુના ભેદ સ્વીકારાય છે માત્ર ઈન્કારવા માટે અને દેશ, કાળ, વસ્તુથી મુક્ત અખંડ આત્માની અદિતીયતાનો નિર્દેશ કરવા માટે. આ છે પરંપરાગત પદ્ધતિ અધ્યારોપ અને અપવાદની, જેના સહારે ઉપરના શ્લોકમાં કહ્યું છે કે બ્રહ્મમાંથી સર્વભૂત અર્થાત્ સર્વ પ્રાણી, પદાર્થો ઉત્પન્ન થયાં છે અને પંચમહાભૂત પણ તેમાંથી જ નીપજ્યાં છે. માટે જ તે સૌ પણ બ્રાહ્મરૂપ જ છે. આમ અંતે તો તે જ કહ્યું કે સર્વ કાંઈ બ્રહ્મમય છે. અને બ્રહ્મ સિવાય કોઈ વિકલ્પ કે ભેદ અસ્તિત્વમાં નથી. આમ અહીં અધ્યારોપ માટે સુષ્ટિની ઉત્પત્તિનો સ્વીકાર થયો છે. તેને રખે કોઈ સાચી, વાસ્તવિક ઉત્પત્તિ માને; રખે બ્રહ્મને કોઈ સાચું કારણ માની બેસે.
આ mતની ઉત્પત્તિ માટે તો અનેક વાદ-વિવાદ અને મત-મતાંતર છે. વિજ્ઞાને પણ ઘણી લાંબી યાત્રા કરી “એક્સપેરિમેન્ટેશન” “વેરિફિકેશન” અને “કરેશન”નો ઉપયોગ કરી અવનવા સિદ્ધાંતો આપ્યા છે. વિજ્ઞાને આપેલ ઉત્પત્તિનો ખ્યાલ જોતાં અગાઉ તે સિવાયના ખ્યાલ પણ જોઈ, વિજ્ઞાનનો ઉત્પત્તિ વિશેનો અભિગમ કેવો તેનો વિચાર કરીએ.
મુસ્લિમ વિચારધારામાં સુષ્ટિની ઉત્પત્તિ સ્વીકાર્ય છે પણ અન્ન નહીં; જ્યારે બૌદ્ધ અભિગમમાં ગત કે સંસાર અનાદિ છે, પણ અન્તવાન છે તેમ માનવામાં આવે છે. જૈન ધર્મની માન્યતામાં સર્જન અનાદિ અને અનન્ત માનવામાં આવે છે.
વેદાન કહે છે કે હું છું માટે ગત છે. અર્થાત્ mત જો દશ્ય છે તો કટા તેની પૂર્વે છે. અર્થાત્ માંમા પ્રથમ છે. તત્પશ્ચાત્ વંભાવ