________________
(૧૯૫) છું તે સમજાય છે, અને જે હું બ્રહ્મ છું તો હું માત્ર એક નહીં પણ સર્વવ્યાપ્ત અદ્વિતીય છું અને તેવા સ્પષ્ટ જ્ઞાનમાં ક્યાં છે ભિન્નતાની ગંધ? ક્યાં છે અનેકતાની આશંકા? છે ક્યાં ભેદનો અવસર? માટે જ કહ્યું છે: “વિસાવસર: ચુતઃ”
વેદાન્તીને તો સ્પષ્ટ છે કે “સર્વ ત્નિ ” “આ સર્વ બ્રહ્મ જ છે.” બાકી પ્રતીતિ માત્ર છે. “સર્વ પ્રપંચો દ્રવ ગતિ ન રેતરત સર્વ પ્રપંચ પણ બ્રહ્મ જ છે-ભિન્ન કંઈ જ નથી” અને વેદાન્તી જે સમજે છે તે શ્રુતિસંમત તક છે. માટે આ શ્લોકમાં પણ કહ્યું છે કે
“સર્વ માત્મા તિ શાસનાતિ તેથી વેદાન્તીને માટે વ્યાપ્ય અને વ્યાપકતાના ભેદ મિથ્યા છે. અસહુ છે. ભેદ માત્ર તેને અસ્વીકાર્ય છે. ભેદ બોલાય કે કહેવાય પણ અંતે તો અભેદ સમજાવવા માટે જ તેનો પ્રયોગ થાય છે. જેમ કે સૂર્ય અને તેનો પ્રકાશ એમ બે કહેવાય પણ સૂર્યથી તેનો પ્રકાશ છૂટો પાડી ન શકાય. બન્ને અભેદ છે. તેવી જ રીતે અગ્નિ અને તેની દાહકતા વિશે પણ છે. ગરમી અભિન્ન છે. છતાં જુદી બોલાય છે. ઘટાકાશ અને મહાકાશ તેવા શબ્દ વપરાય છે કારણ કે આકાશ એક છે તેવું સમજાવવું. સમજાવવા કહેવાય ખરું કે માટીના પિંડમાં માટી વ્યાપક છે; પણ માટી વિના પિંડ કેવો? કે માટી વિના ઘડો કેવો? સોનું અને દાગીના જુદા બોલાય છે પણ છૂટા પડી શકે નહીં. તેથી વ્યાપ્ય અને વ્યાપકતાના ભેદ મિટ્યા છે, અસત્ છે. આત્મા જ જગતનું અધિષ્ઠાન છે. જગત આત્મા કે બ્રહ્મનું વિવર્ત છે તેમ કહેવાથી બે વસ્તુ કે દ્વત થતું નથી. ભેદ તે જ ભ્રાંતિ, ભ્રમ કે આરોપ. જેનું કદી સત્ અસ્તિત્વ નથી તેથી જ તો ભેદ ભ્રમ-સર્વ કાંઈ મિથ્યા છે તેમ કહ્યું છે.
આગળના શ્લોના સંદર્ભમાં ચર્ચાઈ ગયું કે વ્યાખ અને વ્યાપકતા મિથ્યા છે. તો પછી અલ્પજ્ઞ કેવી રીતે કોઈ હોઈ શકે? અને જો અલ્પજ્ઞ જ નથી તો ઈશ્વર સર્વજ્ઞ કેવો? જો જીવ અલ્પશક્તિમાન જ નથી તો ઈશ્વર કઈ રીતે સર્વશક્તિમાન? જો જીવ એકદેશીય નથી તો ક્યાં હોય સર્વદેશીય ઈશ્વર! આમ વ્યાખ વ્યાપકના ભેદ જ ભ્રાંતિ છે તો જીવ અને ઈશ્વરનો