________________
(૮૬) દદરૂપી પાંદડાં કે કાળાં કાપવાનો ક્યાં છે કોઈ અર્થ? વિચારતાં સમજાઈ જશે કે બીજામાં બીજાને લીધે આવેલ દુ:ખ અને દઈ આપણી જ વાસના, અપેક્ષા અને મહત્વાકાંક્ષાને લીધે ઉપડેલી મીઠી ખણખૂજલી છે. આ દદ-દુ:ખને ભસ્મીભૂત કરવા વિચારનો અરિ પેટાવવાની જરૂર છે જે ડાળાં-પાંદડાં સહિત મૂળને નિર્મૂળ કરી શકશે. ચાલો, વિચારાગ્નિને પેટાવીએ-પ્રગટાવીએ!
જેમ અનેક ઘરેણાંનું ઉપાદાન સોનું માત્ર એક છે અને માટીનાં વાસણોનું ઉપાદાન માટી માત્ર એક સતુ છે તેમ જ અનેક સંકલ્પો અને અજ્ઞાનનું ઉપાદાન નિ:શંક એક છે, સત્ છે, સૂક્ષ્મ અને અવ્યય છે.
___ एकं सूक्ष्मं सत् अव्ययम् इति અનેકનું કારણ એક છે તે તો સમજાયું, પણ હવે પુનઃ જાગે છે પ્રશ્ન કે અજ્ઞાન અને સંકલ્પનું રહેઠાણ કયાં? અને કઈ રીતે બન્ને એક જ સ્થળેથી જન્મે છે? તે સમજાય તો જ બન્નેનું ઉપાદાન એક છે તેવું સ્વીકારી શકાય. ઘણી વાર જીવનમાં એવું જ બને છે કે સમજાય ખરું પણ સ્વીકારાય નહીં અને જે સ્વીકારેલું છે તે સમજાયેલું નથી હોતું. કંઈ વાંધો નહીં. હું પ્રયત્ન કરું છું સમજાવવાનો. આપ સૌ આસ્તિક બુદ્ધિથી જ નહીં, પણ ગ્રાહ્યબુદ્ધિ સાથે ગુણગ્રાહ્ય દષ્ટિ રાખીને શ્રવણ કરે. સમજવું-સમજાવવું બુદ્ધિનું કાર્ય છે. સ્વીકારવામાં કે ઈન્કારવામાં તો અહંકાર આડો આવે છે. ચાલો, સારા શ્રોતા થઈ પ્રતિક્રિયારહિત મન વડે- વીથ ધ હેલ્પ ઓફ રિસેપ્ટિવ માઈન્ડ' સાંભળીએ નહીં પણ શ્રવણ કરીએ-નોટ ઓન્લી હિયરિંગ બટ લિસનિંગ’...સંકલ્પ અને અજ્ઞાનનું કારણ એક છે તે સ્પષ્ટ કરવા આપણે મનની અવસ્થાઓ જાણવી પડશે. કારણ કે સંકલ્પોનો પ્રવાહ મન દ્વારા જ અભિવ્યક્ત થાય છે.
મનને મુખ્ય બે અવસ્થા છે: ગ્રહણાત્મક અને અગ્રણાત્મક અને જે ગ્રહણાત્મક અવસ્થા છે તેની પુનઃ બે શાખા છે: યથાર્થ ગ્રહણ અને વિપરીત ગ્રહણ અથવા અન્યથા ગ્રહણ, જે નીચે મુજબ દર્શાવી શકાય: