________________
(૧૬૭) મહાત્મા..“તેરે જૈસા” વ્યક્તિ..“ કૈસા હું?” મહાત્મા....“ઇશ્વર જૈસા.” વ્યક્તિ....“હમ દોનોં કેસે હૈ?” મહાત્મા... “એક જૈસે.”
આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે ઉપાધિ હું નથી, ઉપાધિ મને દ્રશ્ય છે. હું ઉપાધિનો દ્રષ્ટા, ઉપાધિથી મુક્ત છું. પરમાર્થમાં તો કોઈ ભેદ જ નથી. છતાં કેટલાક માને છે કે શરીરમાં જે આત્મા છે તે શરીર જેવો છે. તેવું સ્વીકારતાં કીડીનો આત્મા નાનો થાય; હાથીનો મોટો થાય. તો તો આત્મા વિકારી થઈ ગયો કહેવાય. આવી ભ્રાંતિના લીધે જ સામાન્ય ભાષા, વ્યવહારમાં મોટો જીવ', ‘નાનો જીવ' વગેરે વપરાય છે. પણ જીવ જ બ્રહ્મ છે. પછી કયાં છે નાના-મોટાપણું? માટે જ વિચારવું કે આત્મા કોઈના જેવો નથી. પણ કહેવું જ હોય તો ઈશ્વર જેવો છે તેમ કહેવું. ઈશ્વર કેવો છે?-તો જગત જેવો.
જગત કોના જેવું છે? તો જેનાર જેવું. જગતની દ્રષ્ટા હું કેવો છું? તો મારા જેવો. જો દશ્ય પૂછે કે દ્રષ્ટા કેવો? તો કહેવું આપણે બે એક જેવા, અભિન્ન છીએ. અર્થાત્ 'તું' “આપણે સૌ અભિન્ન આત્મતત્ત્વ છીએ.
આત્મતત્વ એટલે આપણે મૂળમાં કેવા? મૂળમાં આપણે સૌ “મૂળ” વગરના છીએ.
આપણે નથી વ્યષ્ટિ નથી સમષ્ટિ... નથી વ્યક્તિ...કે વિરાટ.. નથી જીવ.કે શિવ... નથી નશ્વર...નથી ઈશ્વર... નથી આપણે પિંડ..કે બ્રહ્માંડ.. આપણે ઉપાધિ જ નથી તો શરીરની વ્યાધિ કયાં? ઉપાધિ-વ્યધિથી