________________
(૧૭૨) અનંત મત ક્ષત્તિ ()- દેહ બહુ પાપના સંગવાળો માન્યો છે તેથી.
ચા લેવા પુમાન- આત્મા દેહ કઈ રીતે થઈ શકે? બૃહદારણ્યક કૃતિએ ઘોષણા કરી “અને દિ મય પુરુ?” જે આગળ ચર્ચા ગયા. આકાશમાં જ વાદળાં છે છતાં તે કોરુંકટ છે. તેને રંગ નથી વાદળનો, પાણીનો સંસ્પર્શ પણ નથી તેમ આત્મા શરીરમાં અને શરીર આત્મામાં જ ભ્રાંતિ દ્વારા આરોપિત છે, છતાં આત્માને તેનો સંગ નથી. સોનાના, ચાંદીના કે માટીના પાત્રમાં આકાશ તો એકનું એક જ છે. તેને ઉપાધિ સાથે સંબંધ નથી.
હું પણ આકાશ જેમ અસંગ છું. અસંગતા જ મારો સહજ સ્વભાવ છે. નથી મારામાં ધ્યાન, ધારણા કે સમાધિ; નથી મારી સાથે પુરુષ કે પાપ; નથી મારું નિશાન સ્વર્ગ કે નરક. અરે! જ્યારે સુમિમાં “મારું “મારા” “આપણા” કે “પરાયા' કોઈ નથી ત્યારે જ આનંદ છે. કારણ કે અસંગ જ મારો મૂળભૂત સહજ સ્વભાવ છે. હું અસંગ છું તેથી શરીરના પાપ-પુણ્યધર્મથી રહિત છું. દેહ તો રાગદ્વેષાદિ મળયુક્ત છે. હું અંત:કરણથી પણ સ્પર્થ નથી. વાણી, મન, ઇોિ મને સ્પર્શી શકતાં નથી. તેથી પણ હું અસંગ અને અસ્પૃશ્ય છું. મારામાં પાપ-મુક્તિની ખેવના નથી અને પુણ્ય પ્રાપ્તિની અપેક્ષા નથી તે સર્વ, ભ્રાંતિમય સંસારમાં ભ્રાંતિરૂપી પ્રવૃત્તિ જેવું છે. નથી મારે કર્મ, કિયા, કે ફળ. આ અસંગ પુરુષની વાત બૃહદારણ્યક ઉપનિષદમાં આવી છે. અસંગ પુરષ સાથે સંતોએ સાક્ષાત્કાર કર્યો. અરણયના સાનિધ્યમાં. તેથી શ્રુતિના એક ભાગનું નામ “આખ્યા છે. ખરેખર અરય જ શરણ છે. જે શરણ આપે તે અરાય. રાય એટલે જ્યાં યુદ્ધ છે તે. માટે જ ઝઘડા વખતે લૌકિક ભાષામાં પણ કહે છે કે “રણમેદાનમાં આવી જા. ઘર પાસે તો કૂતરું ભસે.” આમ રણ્ય એટલે યુદ્ધ અને અ=નહીં -ક્યાં યુદ્ધ નથી તે શાંત, શીતળ પ્રદેશ
જ શણ છે-અને તેવું શરણ જ અરણ્ય છે. આમ જે સ્થળે સંસારના રાગદ્વેષ, આંતરવિગ્રહ લેહ, ક્લેશ નથી તે સંતોને માટે યોગ્ય તપોભૂમિ છે. તેથી જ તે અરણ્ય કહેવાય છે. તેવી જ રીતે બૃહદારણ્યક જેવી શ્રુતિ પણ સાધક, મુમુક્ષુ, સંતો માટે આશ્રયસ્થાન છે. શાની માટે તે આત્મરમણનું મેદાન છે અને મુમુક્ષુ સાધક માટે ચિંતનનું આશ્રયસ્થાન છે.