________________
(૧૭૩)
આવા અરણ્યમાં રહીને જેને ચિંતન કરવાનું પ્રારબ્ધ પ્રાપ્ત થાય તે જ પોતાના અસંગ સ્વરૂપને જાણવા “અસંગ યાદેખ લેન છિન્ના” વૈરાગ્યરૂપી શસ્ત્રથી સંસારવૃક્ષનું દૃઢતાથી છેદન કરી શકે છે. સાવા અરણ્યનો સાથ તે જ શ્રુતિનું સાન્નિધ્ય, સમાગમ અને સત્સંગ છે. શ્રુતિના સત્સંગથી જ અંતે જીવનમુક્તિ સુધીની યાત્રા થઈ શકશે.
सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वम् । निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवनमुक्तिः ॥
અને જીવનમુક્ત દશા એટલે શરીરનો સંહાર નહીં; ત્યાગ નહીં શરીર સાથે મરવાની કળા-એ જ જીવનમુક્તિ છે. હું અસંગ આત્મતત્ત્વ છું-તે સમજતાં જ શરીર જ્વ પરથી પાંડું ખરે તો વૃક્ષ ચિંતિત ત્યાં જાય; ન હું શરીર છું, ન કેટલાંય શરીરો ખરી ગયાં હશે
નિષ્પ્રાણ થઈ જાય છે. પછી વૃક્ષ નથી...તેમ શરીરને જ્યાં જવું હોય તે મારું છે. ભૂતકાળમાં પાંદડાં જેમ પણ જ્યારે ખરવું હોય ત્યારે ખરી
પડે. પાનખરનો ડર પાંદડાંને...માળીનો ડર કળીઓને...હું તો કાળમુક્ત, કાળનો પણ કાળ છું.
·
तत्रैव च समाख्यातः स्वयंज्योतिर्हि पुरुषः ।
as: पर प्रकाश्योऽसौ कथं स्याद् देहकः पुमान् ॥३७॥
૨ તંત્ર = અને તે જ બૃહદારણ્યક શ્રુતિમાં પૂનઃ હિ= પુરુષ તો
સ્વયં જ્યોતિઃ સમાજ્ઞાતઃ- સ્વયંજ્યોતિ, સ્વયંપ્રકાશ કહ્યો છે.
અસો નઃ- આ દેહને જડ કહ્યો છે.
પર પ્રાયઃ- પરપ્રકાશિત કહ્યો છે.
જુમાન્ વેઠવા વયં સ્વાત્ તેથી આ દેહ આત્મા કઈ રીતે હોઈ શકે?
‘અશી નડ: પ પ્રાયઃ' શરીર જડ છે તેનું મુખ્ય કારણ જ કે તે પર-પ્રકાશિત છે. શરીરનું અસ્તિત્વ છે, હોવાપણું છે, ભાવ છે, સત્ છે, પણ ચિત્પણું પોતાનું નથી. અર્થાત્ આત્માની ચેતનતાથી જ તે કાર્ય કરે છે. જેમ ચંદ્ર પરપ્રકાશિત છે. તે પ્રકાશ નથી આપતો તેવું નથી,