________________
(૧૭૭)
આત્મા અને સૂક્ષ્મ શરીર
પૂર્વશ્લોકમાં ચર્ચા થઈ કે શરીરના પતન પછી પણ જીવાત્માની વાસનાનુસાર કે કર્મફળના ભોગ માટે યાત્રા ચાલુ રહે છે. આમ જીવાત્મા નાશવાન નથી. પણ તેથી તે જીવાત્મા કે સૂક્ષ્મ શરીર આત્મા પણ નથી. આત્મા તો ત્રણે શરીરો, ત્રણે અવસ્થાનો સાક્ષી તેથી ભિન્ન છે તે સમજાવે છે.
लिङ्गं चानेकसंयुक्तं चलं दृश्यं विकारी च । अव्यापकमसद्रूपं तत्कथं स्यात् पुमानयम् ॥ ३९ ॥
તિમાં ...... =અને લિંગ કે સૂક્ષ્મ શરીર પણ
અને સંયુવાં વતમ્ શ્યમ્ =અનેથી સંબંધવાળું ચલ, દૃશ્ય અને વિજાતી નમ્ર વિકારી છે.
અવ્યાપમ્ અસત્ રૂપમ્ =અવ્યાપક અને મિથ્યા રૂપવાળું છે. तत् अयम् पुमान् कथम् स्यात् સૂક્ષ્મ શરીર આ આત્મા કઈ રીતે હોઈ, શકે? સૂક્ષ્મ શરીર આત્મા કેમ નથી તેનાં કારણો નીચે મુજબ
છે:
=
(૧)સૂક્ષ્મ શરીર ‘અને સંયુત્તમ્ અર્થાત્ ઘણા અવયવોવાળું છે. પાંચ જ્ઞાનેન્દ્રિય + પાંચ કર્મેન્દ્રિય + પાંચપ્રાણ + મન+બુદ્ધિ એમ ૧૭ તત્ત્વોનું બનેલું છે.
=
જ્યારે આત્મા કોઈથી બન્યો નથી, આત્માથી કાંઈ બન્યુ નથી. એ તો એક અને અત્ છે. નિરવયવી છે, તેને અવયવ કે ઇન્દ્રિયો કેવી? તે અસંગ છે તેથી મનબુદ્ધિ પ્રાણોનો સ્પર્શ પણ નથી. તેથી અસંગ આત્મા કદી પણ સૂક્ષ્મ દેહ નથી.
(૨)સૂક્ષ્મ દેહ ‘વતમ્' છે. કેમ કે તેમાં મન છે. મન ચંચળ છે. વાસના મુજબ એક દેહ છોડી બીજામાં જાય છે. જ્યારે આત્મા અવિચળ છે. સર્વવ્યાસ છે. તેથી તેને ક્યાંય જવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. તેથી પણ સૂક્ષ્મ દેહ આત્મા નથી.
(૩)સૂક્ષ્મ દેહ ‘વિાવી છે જ્યારે આત્મા અવિકારી છે. મનના વિકારો જાણીતા છે. કોઈ વાર શાન્ત, કોઈ વાર ઉદ્દેગપૂર્ણ ખિન્ન, તો વળી વાસનાથી યુક્ત બળવાન અને વાસનામુક્ત થાય તો નિર્મળ બને છે. જ્યારે આત્માને