________________
(૧૮૬)
થયેલી વિસ્મૃતિ જ જવાબદાર છે. બાકી તો જેમ જાગ્રતમાં સ્વપ્ન અસત્ જણાય છે; દોરીના જ્ઞાનમાં જેમ સર્પ ખોટો અને ભયરહિત દેખાય છે તેમ જ ‘સ્વ’સ્વરૂપના જ્ઞાનમાં દેહ અને જ્ગત ખોટાં અને અસત્ જણાય છે. માટે શંકરાચાર્યજીએ કહ્યું “જ્ઞાતે તત્ત્વ જ સંસાર” અને “વાતે સત્યવત્ માતિ પ્રોષે સતિ અસત્ મવેત્” વિવર્તવાદને સહજ રીતે સરળતાથી સ્પષ્ટ સમજવા વિચારીએ કે સર્પ સાચો કે દોરી ?
બન્ને સાચાં છે!
અંધારામાં સર્પ સાચો લાગે; સત્ જણાય. અજવાળામાં દોરી સાચી લાગે; સત્ જણાય. જો બન્ને સાચાં તો; તો દૈત જ સિદ્ધ થાય !
ના.....ના.....ના....
સર્પ અને રજ્જુ બન્ને ખોટાં છે.
બન્ને કઈ રીતે અસત્ હોય ?
અંધારામાં દોરી ખોટી ભાસે; અસત્ જણાય. અજવાળામાં સર્પ ખોટો ભાસે, અસત્ જણાય.
તો શું બન્ને અસત્ છે? છે જ નહીં, તેવું જ ને?
અરે! બન્નેને અસત્ કહેનાર તો છે જ!
અર્થાત્ બન્ને નથી તેમ નહીં; પણ એક આરોપ છે; બીજું અધિષ્ઠાન
છે.
તેથી બે દેખાય છતાં એક જ છે.
સર્પ આરોપ અને દોરી અધિષ્ઠાન છે.
અર્થાત્ દોરી પર સર્પ જણાયો તે મનનું પ્રક્ષેપણ કે આરોપ છે. તે સર્પ તો ભ્રાંતિ છે અને તે પણ અંધકાર સમયે જ છે. તેમ જ્ગત કે દેહ પણ ભ્રાંતિ છે. ‘સ્વ’-સ્વરૂપના અજ્ઞાન સમયે જ તે સત્ સાચાં જણાય છે. શરીરનો આકાર અને તે આકારનું નામ; નિરાકાર અનામી આત્મા પર આરોપિત છે. મનના પ્રક્ષેપણ જેવું જ છે. જેમ સર્પની ભ્રાંતિ પણ દોરીના અધિષ્ઠાન વિના શક્ય નથી; તેમ દેહ અને જ્ગતની ભ્રાંતિ પણ પરબ્રહ્મરૂપી અધિષ્ઠાન વિના શક્ય નથી. તેથી જેમ સર્પનો જન્મ ભ્રમણાત્મક છે, છતાં દોરી જ ભ્રાંતિનું કારણ છે તેમ જ્ગતનો