________________
(૧૯૮). છે, ખોટું છે, મિથ્યા છે. અને જે આટલું જ સમજાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. ખોટી વસ્તુની પ્રાપ્તિનો ખોટેખોટો ઉપજેલો આનંદ કે ખોટેખોટું ઉત્પન્ન થઈ નષ્ટ થનારું સુખ, સાચું ક્યાંથી હોય? એટલું જ નહીં પણ જે તમામ અસતું જ હોય તો તો જેમ બાળકો કહે છે “અમે તો ખાલી ખાલી રમીએ છીએ. બહેન પોલીસ અને હું ચોર... પણ મમ્મી ખોટે ખોટો ચોર... રમતમાં હું ચોર ખો!” આમ મિથ્યાત્વના ખ્યાલ સાથે ખોટા mતમાં સાચી વસ્તુ જ નથી ત્યાં ખોટેખોટું ભલે ખોવાઈ જાય, ખોટેખોટું ભલે ચાલ્યું જાય! ખોટેખોટું કોઈ ભલે મરે. ક્યાં છે શોક! અને શોક કરીએ તો પણ ખોટેખોટો, પડધ પરની સિનેમા જેવો કે નાટકના અભિનય જેવો. પછી આવા જ્ઞાનમાં ન અર્થે સુખ, ન દઈ પહોંચાડી શકે દુ:ખ, કારણ કે સુખ અને દુ:ખની પ્રતીતિ થાય છે. ખરેખરું તે નથી; આવા પરબ્રહ્મની ઉપાદાનતાના સૂત્રમાં; વિવર્ત ઉપાદાન કારણના સંદર્ભમાં; સત્યના સંકેતો પકડાઈ જાય તો કાં તો બધું જ પ્રતીતિમાત્ર લાગે અને બેડો પાર થઈ જાય; અગર માત્ર અધિષ્ઠાન જ દેખાય, ફકત બ્રહ્મદર્શન જ થાય; પ્રતીતિ પણ અદશ્ય થઈ જાય અને હાહાથી ભિન્ન કંઈ જ ન દેખાય; તો પણ જીવનમાંથી સદાને માટે શોક અને મોહ ચાલ્યાં જાય. “તત્ર છે મોહ : શો: hત્વમનુશ્યત:' (ઈશોપનિષદ)
અને આવા ઐક્યનાં દર્શન પછી તો નવી ઈષ્ટ મળી જાય કે જે થાય તે થવા દો; જે જાય તેને જવા ; જે આવે તેને માવવા દો; બધું જ પ્રતીતિ માત્ર છે. નથી કંઈ સુધતું; નથી કંઈ બગડતું પરપોટા ટવાથી, કિનારા સાથે અથડાઈ લહેરોનો લય થવાથી, સાગર રોતો નથી કારણ કે તે પોતાને અધિષ્ઠાન તરીકે અવિચળ જાણે છે. પોતામાંથી ઉઠેલી લહેર અને લય થતી લહેર પ્રતીતિમાત્ર છે. તેમજ હું ચૈતનસાગર છું. લહેરો જેમ ઉત્પન્ન થતાં અને નષ્ટ પામતાં શરીરો પ્રતીતિમાત્ર છે. હું તો ચૈતન્ય છું, આધાર છું, અધિષ્ઠાન છું. મારા નિર્વિકાર નિરાકર ચૈતન્યરૂપી અનંત સાગરમાંથી જ પરપોટા જેમ સાકાર, સાગવી, વિકરી દશ્યો, દોરીમાંથી સર્ષની જેમ ઉત્પન્ન થતાં ભાસે છે. મુજથી ભિન્ન દેખાય છે. છતાં મારાથી જુદાં નથી. હું જ તેમનું ભ્રાંતિરૂપી અસ્તિત્વ છું. તમામ