________________
(૧૮૯)
ગત- બ્રહ્યા ઐક્ય. उपादानं प्रपंचस्य ब्रह्मणोऽन्यन्न विद्यते। तस्मात् सर्वप्रपंचोयं ब्रह्मवास्ति न चेतरत् ॥४५॥
प्रपंचस्य उपादानम् =mતનું વિવર્ત ઉપાદાન કારણ વહાણ: અન્યત્ર વિદ્યતે = બ્રહ્મથી બીજું કોઈ નથી, તમા અયં સર્વ પ્રપંચઃ = તેથી આ સઘળું જ્ઞાત ब्रह्म एव अस्ति
= બ્રાહ્મ જ છે, च इतरत्न
= તેનાથી ભિન્ન નથી. માટી ઘડામાં છે; પણ ઘડો અથત નામ અને આકાર માટીમાં નથી. સૂાર કપડાંમાં છે; પણ વસો સૂતરમાં નથી. લાકડું ફર્નિચરમાં છે; પણ ફર્નિચર લાકડામાં નથી. ટૂંકમાં, કાર્યથી કારણ ભિન્ન છે; પણ કારણથી કાર્ય ભિન્ન નથી. કારણ કે ઘડા વિના માટી હોઈ શકે; પણ માટી વિના ઘડાનું અસ્તિત્વ નથી. પરપોટા, મોજ, ફીણ પાણી વિના ન હોઈ શકે; પણ તેમના વિના પાણી હોઈ શકે.
કર્થ જે કંઈ છે; તે દશ્ય છે. અને ટા દશ્યથી ભિન્ન છે. પણ દય કદી કટાથી ભિન્ન નથી. અંતે તો દષ્ટિ, દૃશ્ય અને કટા એક જ છે. દય કદી થિી ભિન્ન નથી. અને દષ્ટિ દશ્યમાં જ સમાયેલી છે, સ્થિત છે, તે દષ્ટિ કટાથી પણ ભિન્ન નથી, આમ જોતાં જેવી દષ્ટિ તેવી જ સુષ્ટિ. અને જેવો કટા તેવી જ તેની દષ્ટિ. તેથી કા, દશ્ય અને દષ્ટિ એક જ જણાય છે પણ આ વૈવિધ્યમાં ઐક્ય છે. દશ્યોમાં વિવિધતા, અનેકતા, ભિન્નતા છે છતાં તે સૌનો સાક્ષી કા તો એક જ
એક સાક્ષીના લીધે જ અનેક દૃશ્ય છે, અને તેમ છતાં દશ્યની ભિન્નતા, અનેકતા કટામાં નથી. તેથી જેવી રીતે દશ્યો કટામાં નથી તેવી જ રીતે દયપ્રપંચ કે પંચમહાભૂતથી નિર્માણ થયેલી સૃષ્ટિ પરબ્રહ્મમાં છે નહીં, ભૂતકાળમાં નહોતી, ભવિષ્યમાં રહેશે નહીં. છતાં ભાસમાન જરૂર થાય છે. આ ભાસમાન થાય છે તેને જ પ્રતીતિ કહેવાય છે.જે “એપરન્ટ ટૂથ” પણ કહેવાય. આ ઉપરથી સ્પષ્ટ છે કે જેની પ્રતીતિ થાય છે, જે ભાસે છે તે અસતું