________________
- (૧૯૧).
દશ્યો મારા પર પડદા ઉપર ચિત્રો જેમ આરોપિત છે. હું બ્રહ્મ અને દશ્યપ્રપંચ પણ બ્રહ્મમય જ છે. કારણ કે અધિષ્ઠાન વિના આરોપ પણ અસ્તિત્વમાં ન હોઈ શકે.. જેવી રીતે..
જેસે તરંગે ઝાગ બુદબુદ; સિંધુસે નહીં ભિન્ન કુછ; મુઝ આત્મસે ઉત્પન્ન જ્ઞ; મુઝસે નહીં હૈ અન્ય કુછ,
જ્યાં તંતુઓસે ભિન્ન પટકી; હું નહીં સત્તા કહીં; મુઝ આત્મસે ઈસ વિશ્વકી; ત્યોં ભિન્ન સત્તા હૈ નહી.”
(વેદાંત શૃંદાવલી) આમ જ્યારે ઐયદર્શન થાય ત્યારે જ જગતકર્તા અને જગતનો ભેદ ચાલ્યો જાય. અંતવાન અને અવિનાશીની જુદાઈ સમાપ્ત થઈ જાય. ન રહે કોઈ કારણ, ન રહે કોઈ કાર્ય. પરમાત્મા પ્રથમ હોય અને પ્રપંચ પછી હોય તેવી ભ્રમણા નષ્ટ થઈ જાય. આગળ-પાછળ, ઉપર-નીચે, પૂર્વ-પશ્ચિાતું, નાનો-મોટો એવી સાપેક્ષતા સદંતર નામશેષ થઈ જાય. અને તેનું જ્ઞાન અને શિક્ષણ આપે તે જ ગુર, સાચો ગુરુ ન તો બીજાને મહાન રાખી પોતે પામર બને; ન તો પોતાની આરોપિત મહાનતાને-જાળવવા સદાય શિષ્યને પામરતામાં પરોવી રાખે. કે ન તો શિષ્યને શિષ્ય જ રાખે નિરંતર તેને કર્મની શિક્ષા આપી. પોતાનું કાર્ય જ તેની પાસેથી કઢાવે રાખે. અને અંત:કરણશુદ્ધિના પ્રવૃત્તિચકમાં એવો તો શિષ્યને ચાકડે ચડાવે કે એના શરીરના તમામ ચક્રો ઢીલાં ન પડે ત્યાં સુધી તે થંભી જ ન શકે. આમ જીવનભર જે શિષ્યને શિષ્યની ભૂમિકામાંથી બહાર જ ન કાઢે તે ગુરુ પોતે જ પામર છે. પછી ભલે તેની પાસે શિષ્યોની વણજાર હોય. ગુરુની મહાનતા શિષ્યનું શિષ્યત્વ સમાપ્ત કરવામાં છે. ગુરુનું ગુરુત્વ પોતાની ગુરુતા ભૂલવામાં છે. જે ગુરુ પોતે “ગુરુ” છે તેવું ભૂલી ન શકે તે ઈશ્વરની મહાનતા પણ ભૂલી ન શકે અને તે જ કારણથી તો “જીવને સદા જીવ જ રહેવા દેશે... જે ગુરુ જીવ ઈશ્વર બન્નેને મિટાવી દેશે તે જ ‘શિષ્ય-ગુરુ'ના નાટકનો ઝડપી અંત આણી દેશે. અને સમજાવી દેશે કે ચોર અને રાક્ષસમાં પણ ચૈતન્ય છે-તેટલું જ નહીં પણ તેઓ ચૈતન્યથી ભિન્ન કદી નથી. રામ અને રાવણમાં ગાત્રો અને નામ જ ભિન્ન છે બાકી “અંતે તો હેમનું હેમ હોયે”. તે જ પ્રમાણે ઉત્પત્તિ, સ્થિતિ અને