SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૬) થયેલી વિસ્મૃતિ જ જવાબદાર છે. બાકી તો જેમ જાગ્રતમાં સ્વપ્ન અસત્ જણાય છે; દોરીના જ્ઞાનમાં જેમ સર્પ ખોટો અને ભયરહિત દેખાય છે તેમ જ ‘સ્વ’સ્વરૂપના જ્ઞાનમાં દેહ અને જ્ગત ખોટાં અને અસત્ જણાય છે. માટે શંકરાચાર્યજીએ કહ્યું “જ્ઞાતે તત્ત્વ જ સંસાર” અને “વાતે સત્યવત્ માતિ પ્રોષે સતિ અસત્ મવેત્” વિવર્તવાદને સહજ રીતે સરળતાથી સ્પષ્ટ સમજવા વિચારીએ કે સર્પ સાચો કે દોરી ? બન્ને સાચાં છે! અંધારામાં સર્પ સાચો લાગે; સત્ જણાય. અજવાળામાં દોરી સાચી લાગે; સત્ જણાય. જો બન્ને સાચાં તો; તો દૈત જ સિદ્ધ થાય ! ના.....ના.....ના.... સર્પ અને રજ્જુ બન્ને ખોટાં છે. બન્ને કઈ રીતે અસત્ હોય ? અંધારામાં દોરી ખોટી ભાસે; અસત્ જણાય. અજવાળામાં સર્પ ખોટો ભાસે, અસત્ જણાય. તો શું બન્ને અસત્ છે? છે જ નહીં, તેવું જ ને? અરે! બન્નેને અસત્ કહેનાર તો છે જ! અર્થાત્ બન્ને નથી તેમ નહીં; પણ એક આરોપ છે; બીજું અધિષ્ઠાન છે. તેથી બે દેખાય છતાં એક જ છે. સર્પ આરોપ અને દોરી અધિષ્ઠાન છે. અર્થાત્ દોરી પર સર્પ જણાયો તે મનનું પ્રક્ષેપણ કે આરોપ છે. તે સર્પ તો ભ્રાંતિ છે અને તે પણ અંધકાર સમયે જ છે. તેમ જ્ગત કે દેહ પણ ભ્રાંતિ છે. ‘સ્વ’-સ્વરૂપના અજ્ઞાન સમયે જ તે સત્ સાચાં જણાય છે. શરીરનો આકાર અને તે આકારનું નામ; નિરાકાર અનામી આત્મા પર આરોપિત છે. મનના પ્રક્ષેપણ જેવું જ છે. જેમ સર્પની ભ્રાંતિ પણ દોરીના અધિષ્ઠાન વિના શક્ય નથી; તેમ દેહ અને જ્ગતની ભ્રાંતિ પણ પરબ્રહ્મરૂપી અધિષ્ઠાન વિના શક્ય નથી. તેથી જેમ સર્પનો જન્મ ભ્રમણાત્મક છે, છતાં દોરી જ ભ્રાંતિનું કારણ છે તેમ જ્ગતનો
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy