________________
(૧૮૧)
સમાધાન
ગ્રંથના અત્યાર સુધીના વિચારમાં જે ચર્ચા થઈ તેમાં મહત્ત્વનો એક જ મુદ્દો હતો કે શરીર અને આત્મા જુદા છે. આત્મા શરીર થઈ શકે નહીં. આ ભેદ તો સ્પષ્ટ રીતે સ્થાપિત થઈ ગયો. હવે પ્રશ્ન છે કે અજ્ઞાનમાં ‘હું શરીર’ અને જ્ઞાનમાં “હું શરીરથી મુક્ત” પણ “હું” એક છે કે બે? અર્થાત્ સત્ય કેટલાં છે? શરીર અને આત્મા બન્ને સત્ય છે કે માત્ર એક જ સત્ય છે-તેનું હવે સમાધાન કરવામાં આવે છે. કારણ કે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિદ્ધ થઈ શકે તેમ છે, તેને માટે શાસ્ત્રની જરૂર નથી. અને જે પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાનનો વિષય નથી, તેને જો શાસ્ત્ર સમજાવી ન શકે તો શાસ્ત્ર નિરર્થક છે. પણ તેવું નથી. સાર્થકતા શાસ્ત્રની સમજવા પૂર્વગ્રહરહિત માનસ વડે, શરણે જવું પડે શ્રુતિના અને તેવા પ્રયત્નથી તમામ શંકાઓનું સ્મશાન આપણે આપણા ચરણો નીચે જ દટાયેલું જોઈશું.
જે સાક્ષાત્ અપરોક્ષ છે તેનું જ દર્શન કરાવવાનો શાસ્ત્રનો ઉદ્દેશ્ય છે, તાત્પર્ય છે. તેમાં જ વેદનું વેદત્વ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની જ્યાં સીમા આવે છે, ત્યાં જ શાસ્ત્રની, શ્રુતિની શુભ શરૂઆત થાય
છે.
હવે સમાધાન કરતાં સત્ય એક છે; અને શરીર અસત્ છે તેવી વાત કરે છે.
इत्यात्मदेहभेदेन देहात्मत्वं निवारितम् ।
इदानीं देहभेदस्य ह्यसत्त्वं स्फुटमुच्यते ॥ ४२ ॥
રૂતિ આત્મવે મેલેન=આ પ્રમાણે આત્મા અને શરીરનો ભેદ બતાવવાથી
વેહાત્મત્વમ્ [દ્દે આત્મત્વમ્]= દેહમાં આત્માપણાની બુદ્ધિનું કે દહ જ આત્મા છે” તે ભ્રાંતિનું
નિવારિતમ્... *નિવારણ થયું.
વાનીમ્ વેદમેવસ્ય ફ્રિ =હવે દેહરૂપી ભેદનું ચોકકસ રીતે
અસત્વમ્ મ્ હન્યતે =મિથ્યાપણું સ્પષ્ટ કહેવાય છે.
હવે સમાધાન પક્ષે થોડી દલીલોનું શ્રવણ કરીએ.
(૧) જો દેહ અને જ્ગત સત્ય છે તો ગૃતનો; મોતનો; દેહનો ભય સત્ય છે.
...